Team Chabuk-Sports Desk: લખનઉ સુપર જાયન્ટ્સને મોટો ઝટકો લાગ્યો છે. લખનઉ સુપર જાયન્ટ્સનો કેપ્ટન કેએલ રાહુલ જે 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે તે ઈજાને કારણે આખી આઈપીએલ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં ફિલ્ડિંગ દરમિયાન રાહુલને ઈજા થઈ હતી. આ પછી, તે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં રમ્યો ન હતો. રાહુલની જગ્યાએ તે મેચમાં કેપ્ટનશિપની જવાબદારી ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ સંભાળી હતી.
કેએલ રાહુલની ઈજાને લઈને લખનઉ સુપર જાયન્ટ્સ દ્વારા સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું છે. ફ્રેન્ચાઈઝીએ જણાવ્યું કે રાહુલની ઈજાને સ્કેન કર્યા બાદ અને કેટલાક ટેસ્ટ કરાવ્યા બાદ ખબર પડી કે તેને સર્જરી કરાવવી પડશે. અમે આ મુશ્કેલ સમયમાં રાહુલને સંપૂર્ણ સમર્થન આપીશું જેથી કરીને તે વધુ સારી રીતે સ્વસ્થ થઈ શકે. આપણે તેની ગેરહાજરી ચોક્કસ અનુભવીશું. અમે કેએલને ટૂંક સમયમાં ફરીથી મેદાન પર જોવા માંગીએ છીએ અને અમને આશા છે કે તે આમ કરવામાં સક્ષમ હશે.

ગત સિઝનની જેમ આ સિઝનમાં પણ લખનૌ સુપર જાયન્ટ્સે અત્યાર સુધી શાનદાર રમત બતાવી છે. ટીમે આ સિઝનમાં અત્યાર સુધી 10માંથી 5 મેચ જીતી છે, જ્યારે 4માં તેને હારનો સામનો કરવો પડ્યો છે. 1 મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. હાલ ટીમ પોઈન્ટ ટેબલમાં 11 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. હવે પ્લેઓફમાં પહોંચવા માટે તેણે બાકીની 4 લીગ મેચોમાં વધુ સારી રમત બતાવવી પડશે.
આઈપીએલ 2023માંથી કેએલ રાહુલને બાકાત રાખ્યા બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)ની ફાઈનલમાં તેના રમવા પર શંકા છે. ટીમ ઈન્ડિયા માટે રાહુલનું આ રીતે બહાર થવું એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
