Team Chabuk-National Desk: જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. આ ઘર્ષણમાં સેનાના પાંચ જવાનો શહીદ થઈ ગયા છે અને એક જવાનને ઈજા પહોંચી છે. તો સામે કેટલાક આતંકવાદીઓને પણ ઠાર કરાયા હોવાના સમાચાર છે. હાલમાં આ વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સુરક્ષાના કારણોસર જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે ખરાબ હવામાન અને વરસાદની વચ્ચે આ ઘર્ષણ ચાલી રહ્યું છે. જમ્મુ વિસ્તારના ભાટા ધૂરિયનના તોતા ગલી વિસ્તારમાં આતંકવાદીઓએ ઘાત લગાવીને સેનાના જવાનો પર હુમલો કર્યો. ત્યારબાદ આ વિસ્તારમાં છુપાયેલા આતંકીઓને બહાર કાઢવા ઓપરેશન ચાલી રહ્યું છે.

ઘર્ષણમાં બે જવાનો ઘટના સ્થળે જ શહીદ થયા હતા અને ચાર ઈજાગ્રસ્ત જવાનોને હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરીને સારવાર માટે લઈ જવાયા હતા જેમાંથી ત્રણ જવાનો સારવાર દરમિયાન શહીદ થયા હતા. આમ કુલ પાંચ જવાનોને શહીદ થયા છે.
રાજૌરી સેક્ટરમાં કંડી જંગલમાં આતંકીઓ છુપાયા હોવાની વિશેષ સૂચના મળ્યા બાદ 3 મેના રોજ એક સંયુક્ત અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. 5 મેના રોજ સવારે 7-30 વાગ્યાની આસપાસ આતંકવાદીઓ ગુફામાં છુપાયા હોવાની માહિતી મળી હતી. તેથી સેનાના જવાનોએ ત્યાં પહોંચીને આતંકીઓને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધર્યો હતો તે દરમિયાન આતંકવાદીઓએ બોમ્બ ફેંક્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
