Team Chabuk-Gujarat Desk: સુરતમાં થોડા દિવસ પહેલાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપીને હરિયાણાથી ઝડપી લીધો છે. યુવકની હત્યા કરવા પાછળનું કારણ પણ સામે આવ્યું છે જે ચોંકાવનારું છે. ફૂલવાડી ભરીમાતા રોડ, નહેરુનગર ઝુપડપટ્ટી પાસે તાપી નદી પાસેથી એક મૃતદેહ મળ્યો હતો. જેની ઓળખ મોહમ્મદ જરદાર નામના યુવક તરીકે થઈ હતી.
સુરતના નહેરુનગર ઝુપડપટ્ટી પાસેથી એક યુવાનની ગળાના ભાગે ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. સમગ્ર હત્યા કેસની તપાસ બજાર પોલીસે શરૂ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતુ કે, મૃતક મોહમ્મદ સાડીના કારખાનામાં કામ કરતો હતો. જેની સાથે એક પવન નામનો વ્યક્તિ પણ કામ કરતો હતો જે મૂળ હરિયાણાનો હતો. જેના પર પોલીસને શંકા હતી.
શંકાના આધારે પોલીસની એક ટીમ પવનને શોધવા માટે તેના હરિયાણા પહોંચી હતી જ્યાંથી તેની અટકાયત કરી હતી. જે બાદ પવનની કડક શબ્દોમાં પૂછપરછ કરતા પવને પોપટ જેમ મોઢુ ખોલ્યું હતું અને હત્યાની કબૂલાત કરી હતી.

આરોપી પવને કહ્યું કે, પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમિકા સાથે વાત કરતો હતો, જેની સાથે મિત્રતા કરાવવા માટે મોહમંદ જરદાર પવનને દબાણ કરતો હતો. 11 જૂન 2023ના રોજ રાત્રે 9 વાગ્યાની આસાપાસ પવન તથા મૃતક જરદાર ફુલવાડીમાં તાપી નદીની પાળા પર બેઠા હતા. દરમિયાન પવન તેની પ્રેમિકા સાથે વાત કરતો હતો જેની સાથે વાત કરવા ફરી દબાણ કર્યું હતું અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ જેમાં પવને ચપ્પુના ઘા ઝીંકી જરદારને રહેંસી નાખ્યો હતો. હત્યા બાદ પવન સુરતથી ટ્રેનમાં બેસી વતન જતો રહ્યો હતો. હાલ આ સમગ્ર કેસમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત