Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના કેશોદમાં એક્ટિવાસવાર મહિલા પર ક્રેન ફરી વળતાં મોત નીપજ્યું હતું. આ અકસ્માતના બનાવના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસે અકસ્માત સર્જનારા ક્રેનના ચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કેશોદના સોંદરડા ગામમાં રહેતાં રત્નકલાકાર મહિલા પ્રવીણાબેન અશ્વિનભાઈ વાજા ગુરુવારે કેશોદથી પોતાના ગામ સોંદરડા એક્ટિવા પર જઈ રહ્યાં હતાં. કેશોદ પોસ્ટ ઓફિસ નજીક ક્રેનના ચાલકે અડફેટે લેતાં પ્રવીણાબહેન પડી ગયાં હતાં અને ક્રેનના તોતિંગ વ્હીલ તેમના પર ફરી વળતાં તેમનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું.

કેશોદમાં બનેલી જીવલેણ અકસ્માતની આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. એક ક્રેનના ચાલકે બાજુમાં જઈ રહેલાં એક્ટિવાસવાર મહિલાને ટક્કર મારતાં પડી ગયાં હતાં અને તરત જ મહિલા પર ક્રેનના તોતિંગ વ્હીલ ફરી વળ્યાં હતાં. મૃતક મહિલાના પરિવારમાં પતિ અને એક 17 વર્ષનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે અકસ્માત સર્જનાર ક્રેનના ચાલક સામે હરેશભાઈ મોહનભાઈ વાજા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
