Team Chabuk-Gujarat Desk: સામાન્ય રીતે રસ્તા પર વાહન લઈને જતાં હોઈએ ત્યારે શ્વાન આડા પડતાં હોય છે અને અકસ્માત સર્જાતા હોય છે. જો કે, ગીરની વાત જ કંઈક અલગ છે. ગીરમાં રસ્તામાં જો સિંહ આડો પડે તો નવાઈ નહીં ! આવી જ એક ઘટના ગીરના વિસ્તારમાં બની છે જ્યાં એક બાઈક સવારને સિંહ અડફેટે લઈ લે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
દાવો કરાયો છે કે, આ વીડિયો સિંહ અને નરસિંહની ભૂમિ તરીકે ખ્યાતનામ એવા જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના મુક્તપુર ગામ નજીકનો છે. જ્યાં સિંહ રસ્તો ઓળંગતો દેખાતાં ત્યાંથી પસાર થતા વાહન ચાલકમાં ઘડીભર ફફડાટ ફેલાયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, રસ્તો ઓળંગતા સમયે સિંહે એક બાઇક ચાલકને પણ હડફેટે લઈ લે છે. બાઈકચાલક રસ્તા પર પડી જાય છે જ્યારે સિંહ બીજી તરફ ખેતર તરફ નીકળી ગયો હતો. સદનસીબે સિંહ તેના પર હુમલો નથી કરતો નહીં તો મોટી જાનહાનિની શક્યતા હતી.
માંગરોળના મક્તુપુર નજીક વાહનચાલકને સિંહ આડો પડ્યો pic.twitter.com/vuZd8vLHoX
— thechabuk (@thechabuk) March 7, 2022
જે સમયે સિંહ નીકળ્યો તે સમયે કોઈના મોબાઈલનો કેમેરો ચાલું હતું. જેથી સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તો ખેતરમાંથી સિંહે રસ્તા પર કૂદકો મારતા જ અન્ય વાહન ચાલકો પણ થંભી ગયા હતા.
એક સમય હતો જ્યારે જૂનાગઢ જિલ્લાના સાસણ ગીરની આસપાસના વિસ્તારોમાં જ સિંહો જોવા મળતા હતા. બાદમાં સિંહોની વસતિમાં વૃદ્ધિ થઈ. આજે સ્થિતિ એવી છે કે સિંહો ફક્ત સાસણ પૂરતા સિમિત નથી રહ્યા, પણ જૂનાગઢ અને અમરેલી સહિતના આસપાસના તાલુકાઓ અને ગામડાઓમાં પણ કોઈ કોઈ વખત દેખા દે છે. આમ જ એક સિંહે જૂનાગઢના માંગરોળના મુક્તપુર નજીક દેખા દીધી હતી.
ઘટનાનો વીડિયો મોબાઈલમાં કેદ કરનારા પહેલા તો સિંહના આગમન અને બાઈક સાથે અથડાવાની ઘટનાને લઈ ડઘાઈ ગયા હતા. એક રીતે તો એવું લાગતું હતું કે સિંહે ક્યાંક બાઈક સવાર પર હુમલો તો નથી કરી દીધોને! પરંતુ ના, બાઈક સાથે અથડાયા બાદ સિંહ રસ્તો ઓળંગી પોતાના રસ્તે ચાલ્યો ગયો હતો. અને ઘડીભરમાં જ આંખ આગળથી ઓઝલ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢના માંગરોળ પંથક અને આસપાસના દરિયા કિનારા વિસ્તારમાં સિંહ પરીવારનો વસવાટ છે. જેથી વારંવાર માંગરોળ પંથકમાં અવાર નવાર જુદા જુદા વિસ્તારોમાં સિંહો જોવા મળે છે. સિંહોના વસવાટથી ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોમાં ભય ફેલાયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
