Team Chabuk-Gujarat Desk: ગાંધીનગરના દહેગામ તાલુકાના સોલંકીપુરા નજીક એક મોટી દુર્ઘટના સર્જાઇ. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત થયા. ગાંધીનગર તરફ જતી ચાલુ રિક્ષા પર પીપળાનું તોતિંગ ઝાડ પડતાં એક યુવતી સહિત ત્રણ લોકો દટાયા હતા. ઝાડ એટલું વિશાળ હતું કે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અને ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મુસાફરોથી ભરેલી ગાંધીનગર તરફ જઇ રહેલી રિક્ષા પર વિશાળકાય પીપળાનું વૃક્ષ ધરાશાયી થયું હતું. રિક્ષામાં કુલ 6 લોકો સવાર હતા જેમાંથી ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.
દુર્ઘટનામાં મગોડી ગામની બે વ્યક્તિ તેમજ પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામની એક વ્યક્તિનું મોત થયું. મૃતકોમાં દેવીપૂજક હીનાબેન(ઉ.વ.18, રહે. મગોડી), બારોટ ડાહ્યાભાઇ ભલાભાઇ (ઉ.વ.65, રહે.મગોડી) અને દેવીપૂજક વિપુલ રાજેશ (રહે.વાઘપુર, પ્રાંતિજ)નો સમાવેશ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત