Team Chabuk-Gujarat Desk: ‘મા તે મા બીજા વગડાના વા’ આ કહેવતને હળવદની એક માતાએ સાચી ઠેરવી છે. માતાએ પોતાની 19 વર્ષની દીકરીને એક કીડની આપી નવજીવન આપ્યું છે. હળવદના માથક ગામની દીકરીને જન્મથી 1 કિડની ખરાબ હતી. 19 વર્ષની વયે બીજી કિડની પણ ખરાબ થઈ દીકરીના જીવ પર જોખમ હતું. ત્યારે તેની માતાએ નિર્ણય લીધો કે તેઓ પોતાની દીકરીને કીડની આપશે.
હાલ માતા-પુત્રી સ્વસ્થ જીવન જીવે છે. દીકરીની બન્ને કિડનીઓ ફેલ થઈ જતાં માતાએ દીકરીને કીડની ટ્રાન્સપ્લાન્ટ કરી નવજીવન આપ્યું છે. મૂળ માથકના અને હાલ હળવદ ખાતે રહેતા કૈલાસબેન નવીનભાઈ મદ્રેસાણિયાની દીકરી જાન્વીની કિડની જન્મથી એક ખરાબ હતી. બીજી ખરાબ થઈ જતાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવી પડે તેમ હતી. આવા સમયે કંઈ પણ વિચાર્યા વગર કેલાસબેન પોતાની કિડની આપવા તૈયાર થઈ ગયા. સફળતાપૂર્વક કીડની ટ્રાન્સપ્લાન્ટ બાદ હાલ માતા કૈલાસબેન અને જાન્વીની તબિયત સ્થિર છે.
નવીનભાઇ મદ્રેસાણીયા કારનો શો રૂમ ચલાવે છે અને તેમના ઘરે 19 વર્ષ પહેલા પુત્રીરત્ન જાનવીનો જન્મ થયો હતો. પરંતુ દીકરીની તબિયત સારી ન રહેતી હોવાથી મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. જેમાં સામે આવ્યું હતું કે, દીકીરની 1 કિડની જન્મથી જ ખરાબ છે. બીજીબાજુ દીકરી 19 વર્ષની થઈ ત્યારે ફરી તબિયત ખરાબ થઈ જેમાં બીજી કિડની પણ ખરાબ થઈ હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતું.
કૈલાસબેનને 3 સંતાનમાં 2 દીકરી અને એક દીકરો છે. જેમાં સૌથી મોટી દીકરીને કીડનીની બિમારી હતી અને મરણપથારી પર પડી હતી. જો કે, માતાએ પોતાની દીકરીને પોતાની એક કિડની આપીને દીકરીને આ દુઃખમાંથી ઉગારી લીદી છે. દીકરીના સપના ખૂબ ઉંચા છે જેથી તે હાલ સરકારી ભરતીની તૈયારી કી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
