Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરઃ વઢવાણમાં 4 વર્ષના બાળકને કરંટ લાગતા હ્રદયના ધબકારા રોકાઈ ગયા !...

સુરેન્દ્રનગરઃ વઢવાણમાં 4 વર્ષના બાળકને કરંટ લાગતા હ્રદયના ધબકારા રોકાઈ ગયા ! 108ની ટીમે આવી રીતે બચાવ્યો જીવ

Team Chabuk-Gujarat Desk: વઢવાણમમાં 4 વર્ષના બાળકને 108ની ટીમે નવજીવન આપ્યું. બાળકને ઇલેક્ટ્રિક શોક લાગતા તે બેસુદ્ધ થઈ ગયો હતો. તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. આવા સમયે 108ની ટીમને જાણ થતાં જ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બાળકને કૃત્રિમ શ્વાચ્છોશ્વાસ આપી હોસ્પિટલ પહોંચાડ્યો હતો. હોસ્પિટલમાં બાળને સમયસર સારવાર મળી જતાં તેનો જીવ બચી ગયો હતો.

મળતી માહિતી મુજબ વઢવાણ શહેરના માલધારી ચોકમાં રહેતા 4 વર્ષીય સમરાંજી મુન્નાભાઇ ગમારા સવારે ઘરના ફળિયામાં રમતો હતો. તે દરમિયાન પાણીની મોટરને અડી જતાં કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા જ બાળક બેસુધ્ધ થઈ પડી ગયો હતો. બાળકનો શ્વાસ બંધ થવા લાગ્યો હતો. આ અંગે 108ને જાણ કરવામાં આવતા ઇએમટી આકાશભાઇ દસાડીયા, પાઇલોટ મેહુલભાઇ રાઠોડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે બાળકના શ્વાસ કે હૃદય ચાલતું ન હોવાનું જણાયું હતું. સમયસૂચકતા વાપરી તેમણે છાતી પર દબાણ આપવા સાથે કૃત્રિમ શ્વાસ આપવાના ચાલુ કર્યું હતું. જેના કારણે બાળકનું હ્રદય ફરી ચાલું થયું હતું.

બાળકને વધુ સારવાર માટે સી.યુ.શાહ મેડિકલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. આમ 108 ટીમને સમય સૂચકતાને લઇ બાળકને નવજીવન મળ્યું હતું. બાળકનો જીવ બચી જતાં તેના પરિવારે 108ની ટીમનો આભાર માન્યો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments