Team Chabuk-Political Desk: ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં નિરાશાજનક પ્રદર્શન કરી માત્ર એક જ સીટમાં પલોઠી વાળી બેસી ગયેલ બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીએ (Mayawati) પરિણામ આવ્યા બાદ પ્રતિક્રિયા આપી હતી. ચૂંટણીમાં મળેલા જડબાતોડ પરાજય બાદ માયાવતીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, આ ચૂંટણીમાં મુસ્લિમોથી ભારે ભૂલ થઈ છે, કારણ કે તેમણે ભાજપને રોકવા માટે સમાજવાદી પાર્ટીને વોટ આપી દીધો અને તેની સજા બસપાને મળી. ઠીક એ રીતે જ વિભિન્ન સમાજના કાસ્ટનો મતદાતા ભાજપ તરફ એ માટે શિફ્ટ થઈ ગયો, કારણ કે સમાજવાદી પાર્ટીની સરકાર પુન: ન આવે અને ફરી પ્રદેશમાં જંગલરાજ કાયમ ન થાય.
માયાવતીએ (Mayawati) પોતાની પાર્ટીની પ્રશંસા કરતા કહ્યું કે, આ તમામે સમજવાની જરૂર હતી કે ભાજપની સરકારને સત્તામાં આવતા કોઈ રોકી શકતું હોય તો તે બસપા જ છે. માયાવતીએ લખનઉમાં કહ્યું કે અપર કાસ્ટ અને ઓબીસીમાં પણ આ ડર હતો કે સમાજવાદી પાર્ટીના સત્તામાં આવતા જ સમગ્ર રીતે અવ્યવસ્થાનું શાસન થઈ જશે. જંગલરાજ થઈ જશે. તેમણે કહ્યું કે, મુસ્લિમ જે બસપા પર ભરોસો કરે છે, આ વખતે તેમનાથી ભૂલ થઈ. બસપાથી પણ ભૂલ થઈ. બસપા આગામી સમયમાં પોતાની રણનીતિમાં પરિવર્તન લાવશે.
માયાવતીએ કહ્યું હતું કે બસપાને જો મુસ્લિમ અને દલિત વોટ પ્રાપ્ત થઈ જાય છે તો ભાજપની હાર નક્કી છે. સમાજવાદી પાર્ટીએ બહુજન સમાજવાદી પાર્ટીની વિરુદ્ધ દુષ્પ્રચાર કર્યો. માયાવતીએ કહ્યું કે સૌથી મહત્વની એ વાત છે કે સમાજનો દલિત વર્ગ મારી સાથે મજબૂતીથી પહાડની માફક ઊભો રહ્યો, જ્યારે દલિતોનો બીજો એક વર્ગ બીજી તરફ શિફ્ટ થઈ ગયો. તેમણે પોતાના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે મનોબળ ગબડવા દેવાનું નથી, સફળતા એક વખત જખ મારીને પણ આપણા પગ ચૂમશે.
માયાવતીએ વર્ષ 1977નું કોંગ્રેસનું ઉદાહરણ ટાંકતા કહ્યું હતું કે એ સત્તામાંથી બહાર થઈ ગઈ હતી, પણ કોંગ્રેસે ફરી સત્તામાં પુનરાગમન કર્યું. એ રીતે બસપા પણ સત્તામાં ફરી આવશે. જનાધારને વધારવાનું કામ કરવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત