Team Chabuk-Gujarat Desk: જામનગર જિલ્લામાં લંપી વાયરસે કહેર મચાવ્યો છે. જામનગર શહેરમાં 217 ગાયમાં લંપી સ્કિન ડીસીઝ જોવા મળ્યો છે, જેના કારણે પશુપાલકોમાં અને પશુપાલન વિભાગમાં ચિંતા વધી ગઇ છે. લંપી વાયરસને જોતાં જામનગર જિલ્લા પંચાયત પશુપાલન ખાતા દ્વારા સઘન સારવાર અને રસીકરણ શરુ કરી દેવામાં આવ્યું છે. લંપી વાયરસના કારણે એક ગાયનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
જામનગરમાં લંપી વાયરસે દેખા દીધી છે. રાજ્યમાં જામનગર જિલ્લામાં છેલ્લા 23 દિવસમાં 217 જેટલા લંપી વાયરસના કેસ જોવા મળ્યા છે. જેના પગલે પશુપાલન ખાતામાં દોડધામ મચી ગઇ છે અને જિલ્લામાં સર્વત્ર સારવાર અને રસીકરણ શરુ કરી દેવાયું છે. અત્યાર સુધીમાં 2665 ગાયોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
પશુમાં મોટાભાગમાં ગાયનો સમાવેશ થાય છે.અત્યાર સુધી લંપી વાયરસના કારણે એક ગાયનું મોત થયું છે પણ બિન સત્તાવાર રીતે મોતનો આંકડો 50થી વધુ હોવાનું મનાઇ રહ્યું છે. ધ્રોલ તાલુકા મથકે અને તાલુકાના લતીપર ગામ સહિત આઠ ગાય લંપી વાયરસનો શિકાર બની છે. ગાયોમાં પ્રસરેલા રોગચાળાને અટકાવવા પશુ પાલન વિભાગ કામમાં લાગી ગયું છે. શહેરમાંથી હવે રોગચાળો ગામડા સુધી પહોંચ્યો છે.
લંપી વાયરસની વધુ અસર ગાયોમાં જોવા મળી રહી છે. આ વાયરસના કારણે ગાયોમાં તાવ આવવો તથા શરીર પર ફોડલા થવા સહિતના લક્ષણો જોવા મળી રહ્યા છે. જો આવા લક્ષણો ગાયમાં જોવા મળે તો તેને ઝડપથી સારવાર આપવી જોઇએ અને જો ઝડપી સારવાર ના મળે તો વાયરસ જીવલેણ સાબિત થઇ શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
