Team Chabuk-Gujarat Desk: મહીસાગર જિલ્લામાં યુવક-યુવતીએ સજોડે આત્મહત્યા કરીને મોતને વ્હાલુ કરી લીધું છે. યુવક-યુવતીના મૃતદેહ આંબાના ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા છે. બન્નેએ એક જ દોરી વડે ફાંસો ખાધો છે. યુવક-યુવતીની આત્મહત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને બન્ને મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

મળતી માહિતી પ્રમાણે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલા વાવ્યો ગામની સીમમા આંબાના વૃક્ષ ઉપર ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવક-યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. કોઈ અગમ્ય કારણોસર ખેતરમાં આવેલા આંબાની ડાળીએ યુવક-યુવતીએ સાથે જ એક જ દોરી વડે ગળે ફાંસો ખાઈ લીધો છે. ઝાડ પર બન્નેના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યા હતા. બાકોર પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને કયા કારણોસર યુવક અને યુવતીએ આત્મહત્યા કરી તેની તપાસ હાથ ધરી છે.
તો બીજી તરફ બનાવની જાણ થતાં ગામમાંથી પણ લોકોના ટોળા ઘટના સ્થળે એકઠાં થયા હતા. હાલ તો યુવક-યુવતીનો મૃતદેહ નીચે ઉતારી પીએમ અર્થે મોકલવા આગળની કામગીરી હાથ ધરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
