Homeગુર્જર નગરીઅમદાવાદના ઓઢવમાં સામૂહિક હત્યા: ચાર દિવસ પહેલા ચાર લોકોની હત્યા કરી હત્યારો...

અમદાવાદના ઓઢવમાં સામૂહિક હત્યા: ચાર દિવસ પહેલા ચાર લોકોની હત્યા કરી હત્યારો ફરાર

Team Chabuk-Gujarat Desk: ગુજરાતના અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક જ પરિવારના ચાર લોકોની ઘાતકી હત્યા કરી હત્યારો ભાગી છૂટ્યો છે. પોલીસને એવી આશંકા છે કે ઘર કંકાસમાં હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો છે. પોલીસે હાલ શંકાના આધારે પરિવારના જ એક વ્યક્તિની તપાસ આદરી છે.

shreeji dhosa

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારની દિવ્યપ્રભા સોસાયટીના એક ઘરમાંથી દુર્ગંધ આવી રહી હતી. સ્થાનિક નાગરિકોએ આ અંગેની સૂચના પોલીસને આપી હતી. પોલીસ ઘરનું તાળું તોડી અંદર પહોંચી તો ઘરના અલગ અલગ રૂમમાં ચાર લોકોના મૃતદેહ હતા. જેમાં એકની લાશ બાથરૂમમાં, એકની લાશ આગળના રૂમમાંથી અને બેની લાશ પાછળના રૂમમાંથી મળી હતી.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ચારે લોકોની હત્યા ચાર દિવસ પહેલા થઈ હતી. પોલીસે એવી આશંકા વ્યક્ત કરી છે કે ઝઘડો થયા બાદ ઘરના મોભી વિનોદ મરાઠીએ જ પોતાની પત્ની સોનલ મરાઠી, પુત્રી પ્રગતિ, પુત્ર ગણેશ અને સાસુ સુભદ્રાનું કત્લ કર્યું છે. વિનોદ મરાઠી ઘરેથી ફરાર છે, જેથી પોલીસની શંકા તેના પર જ જઈ રહી છે. પોલીસની બે ટીમે સંદિગ્ધને પકડવા માટે તપાસ શરુ કરી દીધી છે. મૃતદેહોને પોલીસે પોસ્ટમોર્ટમ ખાતે ખસેડ્યા હતા.

shreeji dhosa

અમદાવાદના જેસીપી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે મૃતકોની બોડીને પીએમ માટે મોકલવામાં આવી રહ્યા છે. પોલીસ આ અંગે ઘરની તપાસ કરી રહી છે. સાથે જ સંદીગ્ધ આરોપીને ઝડપવા માટે પોલીસની બે ટીમ બનાવવામાં આવી છે. જલ્દી જ પોલીસ આ કેસનો ખુલાસો કરશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments