Homeગુર્જર નગરીમહેસાણામાં કાર-રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 લોકોનાં મોત

મહેસાણામાં કાર-રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 લોકોનાં મોત

Team Chabuk-Gujarat Desk: મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ગોરીસણા પાસે રિક્ષા- કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા 3 લોકોના મોત થયા છે. આ ગોઝારા અકસ્માતમાં ઇજાગ્રસ્ત ત્રણ લોકોના મોત નીપજ્યા છે. એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અન્ય બે લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. પોલીસે આ અંગેનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે કે ત્રણેય મૃતકો ખેરાલું બાળાપીરના ઠાકોર વાસનાં રહેવાસી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ખેરાલુ તાલુકાના ગોરીસણા નજીક રિક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. સ્થળ પર જ ભાવેશ ઠાકોરનું મોત નીપજ્યુ હતુ. જ્યારે હીરાબેન ઠાકોર અને રમેશજી ઠાકોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ત્રણ લોકોનાં મોત નીપજતા બધા પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. આ ત્રણેય મૃતકો ખેરાલું બાળાપીરના ઠાકોર વાસનાં રહેવાસી છે. આ મોતના સમાચાર આવતાની સાથે આખા ઠાકોરવાસમાં સન્નાટો છવાઇ ગયો હતો.

રિક્ષામાં બેઠેલા બીજા ઈજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે. આ ગોઝારા અક્સમાતમાં ઇજાગ્રસ્ત ત્રણ લોકોના મોત નીપજ્યા છે. એક વ્યક્તિનું ઘટનાસ્થળે તો અન્ય બે વ્યક્તિઓનાં સારવાર દરમિયાન મોત નીપજ્યા છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments