Homeગુર્જર નગરીમહેસાણા: યુવકે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા અને ત્રીજા દિવસે મોત થઈ ગયું

મહેસાણા: યુવકે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા અને ત્રીજા દિવસે મોત થઈ ગયું

Team Chabuk-Gujarat Desk: માથા પર વાળ ન હોય તો ટ્રીટમેન્ટ કરાવવામાં આવે છે. લાખો લોકોએ કરી છે અને કરાવી રહ્યા છે, પણ કોઈ દિવસ કોઈનું હેર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં જ મોત થઈ જાય એવું સાંભળ્યું છે? મહેસાણામાં એક યુવકે ત્રણ દિવસ અગાઉ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું અને તેનું મોત થઈ ગયું. યુવકનું મોત થતાં પરિવારે હેર ટ્રાન્સપ્લાન્ટ કરનારા ડોક્ટર પર આક્ષેપ કર્યા છે.

ઘટનાની પ્રાપ્ત વિગતો કંઈક એવી છે કે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા ખડોસન ગામમાં રહેતા અરવિંદભાઈ ચૌધરીએ મહેસાણા શહેરના જ ડોક્ટર હિરેનભાઈ ઓઝા પાસે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. ત્યારે તો કંઈ નહોતું થયું પણ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યાના ત્રીજા દિવસે એકત્રીસ વર્ષીય યુવક અરવિંદભાઈનું મૃત્યુ થતાં પરિવારજનોએ ડોક્ટર પર આક્ષેપ કર્યા હતા અને મહેસાણા બી. ડિવીઝન પોલીસ મથકમાં તેમની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ સમગ્ર ઘટના અંગે પ્રકાશ પાડતા બી ડિવીઝન પોલીસ સ્ટેશનના પી.આઈ સાહેબે જણાવ્યું હતું કે, યુવક અરવિંદ ચૌધરીએ ત્રણ દિવસ પહેલા જ હેર ટ્રાન્સપ્લાન્ટની ટ્રીટમેન્ટ કરાવી હતી. જે બાદ સવારમાં યુવકનું મોત થયા બાદ પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી હતી. સમગ્ર ઘટનાની હકીકત પેનલ પીએમ બાદ જ બહાર આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments