Team Chabuk-National Desk : મોદી સરકાર હવે વિકાસના કામોમાં પણ નીતનવા કિર્તીમાન રચી રહી છે. જનતાનું ધ્યાન આકર્ષતું વધું એક કામ મોદી સરકારે કર્યું છે અને આ કામ છે 18 કલાકની સમય મર્યાદામાં રોડનું નિર્માણ કરી નાખવું.
હાલ દેશમાં જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખોદાયેલા જોવા મળી રહ્યા છે. જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાં ખાડા દેખાય. આ વાતની સરકારને પણ ખબર છે કે જ્યાં ત્યાં બ્રિજ અને રોડ બનતા હોવાથી જનતાને વાહનો ચલાવવામાં કેટલી અગવડતા પડતી હોય છે. ઉપરથી ઝડપના જમાનામાં મંથર ગતિએ ચાલતું કામ, જ્યાં એક કલાકમાં પહોંચાતું હોય ત્યાં પહોંચવામાં અઢી કલાક ખર્ચાય જાય છે. પણ હવે જે થયું એ રોજ રોજ થાય તો કેવું સારું ?
राष्ट्रीय राजमार्ग प्राधिकरण (@NHAI_Official) ने हाल ही में सोलापुर-विजापुर राजमार्ग पर 4-लेनिंग कार्य के अंतर्गत 25.54 किलोमीटर के सिंगल लेन डांबरीकरण कार्य को 18 घंटे में पूरा किया है, जिसे 'लिम्का बुक ऑफ रेकॉर्ड्स' में दर्ज किया जाएगा। pic.twitter.com/tP6ACFGblP
— Nitin Gadkari (@nitin_gadkari) February 26, 2021
કેન્દ્ર સરકારે હાલમાં જ એક સડક નિર્માણને લઈને નવો કિર્તીમાન રચી દીધો છે. રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણે માત્ર 18 કલાકની અંદર અંદર 25.24 કિલોમીટરની સિંગલ લેનનું નિર્માણ કરી લિમ્બકા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધવી દીધું છે. કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જનતાને આ વાતની ટ્વીટ કરી માહિતી આપી હતી. તેમણે ટ્વીટમાં કહ્યું કે, ચાર લાઈનોની રાજમાર્ગ માત્ર 18 કલાકમાં તૈયાર.
ठेकेदार कंपनी के 500 कर्मचारियों ने इसके लिए मेहनत की है। मैं उन कर्मचारियों सहित राष्ट्रीय राजमार्ग प्राधिकरण के परियोजना निदेशक, अधिकारी, ठेकेदार कंपनी के प्रतिनिधि और परियोजना अधिकारियों का अभिनंदन करता हूं। pic.twitter.com/KNbDWsoCnq
— Nitin Gadkari (@nitin_gadkari) February 26, 2021
આ રસ્તાની લંબાઈ 25.54 કિલોમીટર જણાવવામાં આવી છે. કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટમાં સોલાપુર-વિજાપુર પર આવેલ 4-લેન કાર્યના અંતર્ગત 25.54 કિલોમીટરના સિંગલ લેનનું નિર્માણ કર્યું છે. અને આ કાર્ય 18 કલાકની અંદર અંદર પૂર્ણ કરી નાખ્યું છે. જેથી તેને લિમ્બકા બુકમાં સ્થાન મળ્યું છે.
वर्तमान में सोलापुर-विजापुर राजमार्ग के 110 किमी का कार्य प्रगति पर है जो अक्टूबर 2021 तक पूरा हो जाएगा। pic.twitter.com/VrI5J6ZkOS
— Nitin Gadkari (@nitin_gadkari) February 26, 2021
કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ આગળ લખ્યું કે, આ કાર્યમાં 500 કર્મચારીઓએ મહેનત કરી છે. હું એ કર્મચારીઓ સહિત રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ પરિયોજનાના નિર્દેશક, અધિકારી અને કંપનીના પ્રતિનિધિ સાથે જ પરિયોજનાના અધિકારીઓને અભિનંદન પાઠવું છે. કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું કે, વર્તમાનમાં સોલાપુર-વિજાપુર રાજમાર્ગના 110 કિલોમીટરનું કામ પ્રગતિ પર છે. ઓક્ટોબર 2021 સુધીમાં પૂર્ણ થઈ જશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત