Homeગુર્જર નગરીમોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે કોર્ટમાં દાખલ થઈ ચાર્જશીટ, આરોપી તરીકે જયસુખ...

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે કોર્ટમાં દાખલ થઈ ચાર્જશીટ, આરોપી તરીકે જયસુખ પટેલનું નામ ઉમેરાયું

Team Chabuk-Gujarat Desk: મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે મોટા સમાચાર મળી રહ્યા છે. આ દુર્ઘટના મામલે આખરે મોરબી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. અને મળતી માહિતી પ્રમાણે ચાર્જશીટમાં ઓરેવા ગ્રુપના માલિક અને ભાગેડુ જયસુખ પટેલને મુખ્ય આરોપી બનાવાયા છે. 30 ઓક્ટોબરના રોજ બનેલી આ દુર્ઘટનામાં કુલ 10 આરોપી સામે પોલીસ દ્વારા 1262 પેજની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જેમાંથી હાલ 9 આરોપીઓ જેલમાં બંધ છે. ત્યારે આ દુર્ઘટનામાં મુખ્ય આરોપી તરીકે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલનું નામ દાખલ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, જયસુખ પટેલ આ પહેલા જ આગોતરા જામીન અરજી કરી ચુક્યો છે અને હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે.

મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનામાં 135 લોકોના મોતને ભેટ્યા હતા. મુખ્ય આરોપી તરીકે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલના નામ અંગે લોકોમાં પણ ચર્ચા હતી.. હાલ જયસુખ પટેલ ગાયબ છે. આગોતરા જમીન અરજી કરનાર જયસુખ પટેલ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે.

મોરબીમાં 30 ઓક્ટોબરના રોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઝુલતો પુલ ધરાશાયી થતાં 135 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. ત્યારે ગત 25મી જાન્યુઆરીએ મોરબી પુલ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં બ્રિજની સ્થિતિ મુદ્દે રાજ્ય સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. આ દરમિયાન કોર્ટમાં જયસુખ પટેલના વકીલ દ્વારા વળતર આપવા પણ તૈયારી દર્શાવાઈ હતી. ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે, જે મેજર બ્રિજનું કામ જરૂરી છે તે સરકાર યુદ્ધના ધોરણે કરાવે. 

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments