Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં જામનગર અને રાજકોટમાં ઓમિક્રોનના શંકાસ્પદ કેસ મળતાં તંત્રની ચિંતામાં વધારો થયો છે. ત્યારે ગુજરાત માટે વધુ એક ભયજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં એક સાથે 30 થી વધુ લોકો પોઝિટિવ મળી આવ્યા છે. અમદાવાદથી દુબઈ લગ્ન સમારોહમાં હાજરી આપી પરત અમદાવાદ ફરેલા 30થી વધુ લોકો કોરોના પોઝિટિવ નીકળ્યા હોવાનું સામે આવ્યું છે.
મળતી વિગતો પ્રમાણે દુબઈ ખાતે આયોજિત એક લગ્ન સમારોહમાં અમદાવાદથી અલગ અલગ ફ્લાઈટમાં 550થી વધુ લોકો હાજરી આપવા ગયા હતા. દુબઈ લગ્ન સમારોહ પતાવીને પરત અમદાવાદ ફરેલા આ લોકોના કોરોના ટેસ્ટ કરાતાં 30થી વધુ લોકો કોરોના સંક્રમિત નીકળ્યા છે. કોરોનાનો ભોગ બનેલા આ 30થી વધુ લોકોમાં મોટાભાગના 16 થી 26 વર્ષની ઉંમર વચ્ચેના હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ લોકોમાં શંકાસ્પદ રીતે ઓમિક્રોનના લક્ષણો હોવાનું પણ અનુમાન છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ લગભગ 5 થી 7 લોકોને તો દુબઈમાં જ કોરોના પોઝિટિવની સારવાર શરૂ કરવામાં આવી હતી. જ્યારે બાકીના લોકો અમદાવાદ આવતા વિવિધ ખાનગી હોસ્પિટલમાં તેમજ હોમઆઈસોલેનમાં સારવાર લઈ રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
