Team Chabuk-Gujarat Desk: ભાવનગર જિલ્લાના સિહોરમાં 500થી વધુ લોકોને એક સાથે ફૂડ પોઈઝનિંગની અસર થવાનો મામલો સામે આવ્યો છે. ભાવનગરના જાણીતા મુનિ પેંડાવાળાની છાશ પીવાથી એક સાથે 500થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થતાં તબિયત બગડી હતી. એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકોને ફૂડ પોઈઝનિંગ થતાં રવિવારથી સોમવાર દરમિયાન સિહોરની તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ હતી. જેને લીધે આરોગ્ય તંત્ર પણ દોડતુ થયુ હતું.
ગઈકાલે સિહોરમાં ત્રણ અલગ અલગ પ્રસંગો હતા. લીલીપીર સહિતના વિસ્તારમાં લગ્નપ્રસંગમાં જમણવાર બાદ છાશ રાખવામાં આવી હતી. જેને પીધા બાદ લોકોની તબિયત લથડી હતી. પ્રસંગ બાદ લોકોને ઝાડા ઉલટી થવા લાગ્યા હતા. જેથી સારવાર માટે તમામને સિહોરના દવાખાનામાં લઈ જવાયા હતા. હોસ્પિટલમાં લોકોની ભીડ જામતા પોલીસ દોડી આવી હતી. રાત સુધીમાં તો સિહોરની તમામ હોસ્પિટલો ભરાઈ ગઈ હતી. આ કારણે પોલીસ તથા આરોગ્ય વિભાગ બંને દોડતા થયા હતા. ફૂડ પોઇઝનિંગની અસર નાના બાળકોમાં વધારે જોવા મળી હતી.
એક તરફ, ફૂડ પોઈઝનિંગ થતા આરોગ્ય કેન્દ્રમાં લોકોની ભીડ જામી હતી. પરંતુ બીજી તરફ, આરોગ્ય કેન્દ્રમાં કોઈ કર્મચારી જ ન હતા. આરોગ્ય કર્મચારીની લાંબા સમયથી જગ્યા ખાલી પડી છે. જેથી લોકોને સારવાર લેવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મુનિ પેંડાવાળાની છાશ વિવાદમાં આવી છે. આ પહેલા મુનિ પેંડાવાળાની છાશ પીવાથી 50 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયાની ઘટના બની હતી. ત્યારે સવાલ એ છે કે શું તંત્ર દ્વારા આ મામલે કોઈ પગલા લેવાશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
