Team Chabuk-Gujarat Desk: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામમાં એક દુઃખદ ઘટના બની છે. પુત્રના લગ્નની થોડી ક્ષણો પહેલાં જ માતાનું કરુણ મોત નિપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે જાવંત્રી ગામમાં પુત્રના લગ્નની ધામધૂમપૂર્વક તૈયારી કરી રહેલા માતાનું વીજશોકના કારણે મોત થયું છે. પુત્રના લગ્ન પહેલાં જ માતાનું મોત થતાં પરિવારજનો અને મહેમાનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પુત્રની જાન નીકળવાની તૈયારી હતી તે પહેલા જ જરુરી તૈયારી કરી રહેલા વરરાજાના માતાને પંખામાં વીજશોક લાગતા મોત નિપજ્યું છે.
રાધનપુર તાલુકાના જાવંત્રી ગામમાં રહેતા ભાનુભાઈ પરમારના પુત્ર અજય પરમારના લગ્ન હતા. આજે અજયની જાન પરણવા જવાની હતી. જેથી વહેલી સવારે અજયના માતા ધનીબેન જરૂરી તૈયારી કરી રહ્યા હતા. તે સમયે જ લગ્ન માટેના મંડપમાં રાખેલા પંખાને અડી જતા વીજશોક લાગ્યો હતો. વીજ શોક લાગતાં ધનીબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેઓને તબીબોએ મૃત જાહેર કર્યા હતા.
માતાના મોતના કારણે પુત્રના લગ્ન અધૂરા ન રહે તે માટે પરિવારજનોએ ધનીબેનના મોત અંગે અજયને જાણ જ કરી ન હતી. ધનીબેનની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાની વાત કરી હતી. પરિવારના કેટલાક સભ્યોએ હાજર રહી સાદગીથી લગ્નવિધિ પૂર્ણ કરી હતી. અજયના સાદગીથી લગ્ન પૂર્ણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અજય તેના ઘરે પહોંચતા જ તેના માતાના મોતની જાણ થઈ હતી. વરરાજા અને નવવધૂના ખુશીના પ્રસંગમાં માતમનો માહોલ જોવા મળ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
