Homeસિનેમાવાદબંગાળી ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીઝની જાણીતી અભિનેત્રી પલ્લવી ડેએ કરી આત્મહત્યા, પંખા સાથે લટકતી...

બંગાળી ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીઝની જાણીતી અભિનેત્રી પલ્લવી ડેએ કરી આત્મહત્યા, પંખા સાથે લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

Team Chabuk-Entertainment Desk: બંગાળી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી પલ્લવી ડે પોતાના કોલકતા સ્થિત ઘરે મૃત અવસ્થામાં મળી આવી છે. 23 વર્ષીય પલ્લવીનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો છે. પોલીસે પ્રાથમિક તપાસ બાદ આ આત્મહત્યાનો કેસ હોવાનું જણાવ્યું હતું. રવિવારે સવારે પલ્લવી ડેનો મૃતદેહ તેમના ઘરેથી મળી આવ્યો છે.

પલ્લવીના મૃતદેહનો મૃતદેહ તેના જ ઘરમાં પંખાથી લટકતો મળ્યો હતો. જેના પછી તેને નીચે ઉતારીને હોસ્પિટલ લઈ જવામાં આવી. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મૃત્યુ થઈ ચુક્યું હતું. પલ્લવીના મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. જ્યારે પોલીસે પલ્લવીએ આત્મહત્યા કેમ કરી તે દિશામાં તપાસ શરૂ કરી છે.

2017માં પલ્લવી ડેએ ટીવી સિરિયલ ‘અમી સિરાજર બેગમ’ માટે ઓડિશન આપ્યું હતું અને તે પસંદ થઈ હતી. આ સિરિયલ બાદ પલ્લવી ઘેર-ઘેર જાણીતી બની ગઈ હતી. ત્યારબાદ તેણે ‘રેશમ જપી’, ‘સરસ્વતી પ્રેમ’માં કામ કર્યું હતું. હાલમાં પલ્લવી ‘મોન માને ના’માં લીડ રોલ પ્લે કરતી હતી. સિરિયલમાં તે ગૌરીનું પાત્ર ભજવતી હતી. આ સિરિયલમાં સામ ભટ્ટાચાર્ય તથા અંજના બાસુ હતાં. અંજના આ સિરિયલમાં નેગેટિવ રોલમાં જોવા મળી હતી.

મોતના એક દિવસ પહેલાં પલ્લવીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટ પરથી લાગતું હતું કે તે બહાર ક્યાંક જમવા ગઈ છે. આ પહેલાં 14મેના રોજ પલ્લવીએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ પોસ્ટમાં તે ગીત ગાતી જોવા મળી હતી.

પલ્લવીને તેના ફેન્સ ખુબ પસંદ કરતા હતા. પલ્લવીની એક્ટિંગ અને તેના કેરેક્ટરને લોક ખુબ પસંદ કરતા હતા. પલ્લવીના મોતના સમાચારથી અનેક સ્ટાર્સ અને ફેન્સને ખુબ દુઃખ થયું છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments