Team Chabuk-Gujarat Desk: સુરતના વરાછામાં 4 હજાર રૂપિયા માટે એક યુવકની હત્યા થઈ ગઈ. પોતાના જ મિત્રોએ લાકડીના ફટકા અને પથ્થરના ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો. આ કેસમાં વરાછા પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે.
વરાછા વિસ્તારમાં તાપી નદી કિનારેથી એક યુવકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા બે શંકાસ્પદ યુવકોની માહિતી મળી હતી.આ બંને શખ્સોની અટકાયત કરી પૂછપરછ કરતા સમગ્ર બનાવની હકીકત સામે આવી હતી. પોલીસ તપાસમાં આરોપીઓએ યુવકની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
આરોપીએ મૃતક યુવક પાસેથી ઉછીના 4 હજાર જેટલા રૂપિયા લીધા હતા. જેની યુવક વારંવાર ઉઘરાણી કરતો હતો. આ વાતની અદાવત રાખઈ યુવકને તાપી નદીના કિનારે બોલાવી ઝઘડો કર્યો હતો અને માર માર્યો હતો. ત્યારબાદ ઉશ્કેરાઈને બંને આરોપીએ નશાની હાલતમાં યુવકને લાકડાના ફટકાં અને બોથડ પદાર્થ વડે માથાના ભાગે માર મારી ઇજાગ્રસ્ત કરી નાંખ્યો હતો અને ઘટનાને અંજામ આપી આરોપી ફરાર થઈ ગયા હતા.
હાલ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. જો કે, ભલાઈ કરનારા યુવકની હત્યા થતા આ બંને શખ્સો પર ફીટકાર વરસી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
