Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેંદરડા ગામે વૃદ્ધ દંપતિના માથા પર બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા બાદ સાત લાખની લૂંટે સમગ્ર જિલ્લાને અચંભામાં મૂકી દીધું છે. મૃતકનું નામ રાજાભાઈ દેવદાનભાઈ જીલડિયા જ્યારે તેમની પત્નીનું નામ જાલુબહેન છે. તેઓ સીમમાં આવેલી પોતાની જમીનમાં બનાવેલ મકાનમાં રહેતા હતા અને તેમની પુત્રી જૂનાગઢમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી હોવાનું સામે આવ્યું છે.
હત્યા થયાની જાણ કેવી રીતે થઈ?
આ ઘટના એવા સમયે બની જ્યારે બંને દંપતિ રાતના ઓસરીમાં ઘસઘસાટ ઉંઘતા હતા. એવામાં કોઈ અજાણ્યા શખ્સોએ તેમના માથા પર બોથડ પદાર્થના ઘા ઝીંકી તેમની હત્યા નીપજાવી નાખી હતી અને ઘરમાં રહેલા સાત લાખ રૂપિયા લઈ રફુચક્કર થઈ ગયા હતા. મોડી સવાર સુધી કોઈને પણ કમકમાટી ઉપજાવતી આ ઘટનાની ભનક સુદ્ધા લાગી નહોતી, પરંતુ સવારના 8-45 વાગ્યે ગામના કાજલબહેન આવ્યા ત્યારે તેઓ બેઉં પતિ-પત્નીની લાશ જોઈ ડઘાઈ ગયા હતા. ઓસરીમાં લોહીથી ખદબદતા મૃતદેહો પડ્યા હતા. બાદમાં તેમની જૂનાગઢમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી પુત્રી અને ટીનમસ ગામમાં ખેતી કરતા તેમના પુત્ર અશ્વિનને આ અંગેની જાણ કરી હતી. આસપાસના લોકોને પણ જ્યારે રાજાભાઈ અને જાલુબહેનની હત્યાના સમાચાર મળ્યા તો તેમના શરીરમાંથી લખલખુ પસાર થઈ ગયું હતું.
સાત લાખની લૂંટ મચાવી
ડબલ મર્ડરની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં તેમને ઘરવખરી અસ્તવ્યસ્ત જોવા મળી હતી. ઘરમાંથી દાણા ભરવાની કોઠીમાં સ્ટીલના ડબ્બામાં રહેલા ત્રણ લાખ રૂપિયા જ્યારે અન્ય એક પેટીમાં ચાર લાખ જેવી કિંમતના રહેલા ઘરેણા ગાયબ થયા હોવાનું અશ્વિનભાઈ અને કુંવરબહેને જણાવ્યું હતું. પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાની અને હત્યારો કોઈ જાણભેદુ છે કે અપરિચિત તે દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત