Team Chabuk-Sports Desk: ટીમ ઈન્ડિયાની ન્યૂઝીલેન્ડને (IND vs NZ) સામે પ્રથમ વનડેમાં હાર થઈ છે. ઓકલેન્ડમાં રમાયેલી આ ODI મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટ ગુમાવીને 306 રન બનાવ્યા હતા. જવાબમાં કિવી ટીમે માત્ર 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને (kane williamson) ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતીય ટીમની ઓપનિંગ જોડીએ સારી શરૂઆત આપી હતી અને પ્રથમ વિકેટ માટે 23.1 ઓવરમાં 124 રન જોડ્યા હતા. અહીં શુભમન ગિલ (shubhman gill) 65 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો. બીજી જ ઓવરમાં શિખર ધવન (shikhar dhawan) પણ 77 બોલમાં 72 રનની ઈનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. અહીંથી શ્રેયસ અય્યરે (shreyas iyer) એક છેડો સંભાળ્યો. બીજા છેડેથી ટૂંકા અંતરે વિકેટો પડતી રહી.
રિષભ પંત 23 બોલમાં 15 રન બનાવીને લોકી ફર્ગ્યુસનના હાથે બોલ્ડ થયો હતો. સૂર્યકુમાર યાદવ પણ માત્ર 4 રન બનાવીને ફર્ગ્યુસનનો શિકાર બન્યો હતો. આ પછી સંજુ સેમસન અને શ્રેયસ અય્યર વચ્ચે 94 રનની ભાગીદારી થઈ હતી. સંજુ સેમસન 38 બોલમાં 36 રન બનાવીને એડમ મિલ્ને દ્વારા આઉટ થયો હતો. શ્રેયસ ઐયર 77 બોલમાં 80 રન બનાવીને આઉટ થયો હતો. શાર્દુલ ઠાકુરે પણ એક રન બનાવ્યો હતો. વોશિંગ્ટન સુંદરે 16 બોલમાં 37 રનની ધમાકેદાર અણનમ ઇનિંગ રમી હતી. ન્યુઝીલેન્ડ તરફથી લોકી ફર્ગ્યુસન અને નીએ ત્રણ અને ટિમ સાઉથી અને એડમ મિલ્નેએ એક-એક વિકેટ લીધી હતી.
307 રનના લક્ષ્યાંકના જવાબમાં ન્યૂઝીલેન્ડે ફિન એલન (22)ના રૂપમાં તેની પ્રથમ વિકેટ વહેલી ગુમાવી દીધી હતી. દેવન કોનવે (24) પણ કુલ 68 રન બનાવ્યા હતા. ડેરીલ મિશેલ (11) પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો. કિવી ટીમે 19.5 ઓવરમાં 88 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી કેપ્ટન કેન વિલિયમસને ટોમ લાથમ (tom latham) સાથે મળીને 164 બોલમાં 221 રનની અણનમ ભાગીદારી કરીને ન્યૂઝીલેન્ડને જીત અપાવી હતી. કિવી ટીમે 47.1 ઓવરમાં જ મેચ જીતી લીધી હતી. ભારત તરફથી ઉમરાન મલિકને બે અને શાર્દુલ ઠાકુરને એક વિકેટ મળી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
