Team Chabuk-Gujarat Desk: હવામાન વિભાગ દ્વારા આગામી ૩ દિવસ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર જિલ્લામાં ધૂળની હળવી આંધીની આગાહી કરવામાં આવી છે. આજે તારીખ 29, આવતીકાલે તારીખ 30 અને 31 મેના રોજ આ ચારેય જિલ્લામાં ધૂળની હળવી આંધી આવવાની આગાહી કરાઈ છે.

હવામાન વિભાગ દ્વારા આગામી ૩ દિવસ આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં આજથી તારીખ 31 મે સુધી ડસ્ટ સ્ટ્રોમ જોવા મળશે. ડસ્ટ સ્ટ્રોમ એટલે કે ધૂળની હળવી આંધી વંટોળના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાશે. આ સમય દરમિયાન પવનની ગતિ અંદાજે 40 કિલોમીટરથી ઓછી રહેશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે.
રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીમાં આંશિક ઘટાડો થશે. અરબી સમુદ્ર પરથી પવન ફૂંકાતા હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે. પવનની ગતિ 25થી 30 કિલોમીટર રહેવાની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે. જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે. ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોનસુન એક્ટિવિટીની અસર થઈ શકે છે. તો પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત