Homeગુર્જર નગરીબિપોરજોયની અસરઃ પોરબંદરમાં જર્જરિત મકાન પડી જતાં એક વ્યક્તિનું મોત

બિપોરજોયની અસરઃ પોરબંદરમાં જર્જરિત મકાન પડી જતાં એક વ્યક્તિનું મોત

Team Chabuk-Gujarat Desk: બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું જેમ-જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ ખતરો વધી રહ્યો છે. વાવાઝોડાના કારણે વરસાદ પણ શરૂ થયો છે. ત્યારે વરસાદના કારણે પોરબંદરમાં એક મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. પોરબંદરના ભાટિયા બજારમાં જુનું મકાન ધરાશાયી થતાં એક યુવકની મોત નિપજ્યું છે.

વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર તથા પોરબંદરમાં થવાની આગાહી હવામાન વિભાગે કરી છે અને આ જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પોરબંદરના ભાટિયા બજારમાં જૂનું મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. બિપોરજોય વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. આ સાથે જ કેટલીક જગ્યાઓ પર વરસાદ શરૂ થઈ ગયો છે. ત્યારે પોરબંદરમાં પણ મોડી રાતથી વરસાદ શરૂ થયો છે. એવામાં ભાટિયા બજારમાં જૂનું જર્જરિત મકાન ધરશાયી થઈ જતા પ્રકાશ લોઢારી નામનો વ્યક્તિ કાટમાળ હેઠળ દબાઈ ગયો હતો. સવારે સ્થાનિક લોકોને જાણ થતા તપાસ કરતા યુવક કાટમાળમાં દટાયેલી હાલતમાં મૃત મળી આવ્યો હતો.

doctor plus

મહત્વનું છે કે, ગઈકાલે ભુજમાં લખુરઈ ક્રોસ રોડ પાસે દીવાલ પડી જવાથી બે બાળકોન મોત થયા હતા. અહીં બાળકો રમતા હતા ત્યારે આ દીવાલ અચાનક તેમના ઉપર પડી હતી. જેમાં ત્રણ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. ગંભીર ઈજાઓને પગલે બે બાળકોના મોત નિપજ્યા હતા જ્યારે અન્ય એક બાળક ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે. આ મામલામાં પરિવારજનોનું કહેવું છે કે ભારે પવન આવવાના કારણે દીવાલ પડી ગઈ હતી.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments