Homeગુર્જર નગરીઅમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદીને દર્દીએ કરી આત્મહત્યા

અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદીને દર્દીએ કરી આત્મહત્યા

Team Chabuk-Gujarat Desk: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલી યુ.એન.મહેતા હોસ્પિટલમાં દર્દીએ છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. શહેરના અસારવામાં આવેલી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી યુ.એન.મહેતા હોસ્પિટલમાં આજે એક દર્દીએ છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. છઠ્ઠા માળેથી છલાંગ લગાવનાર દર્દીની ઉંમર આશરે 56 વર્ષના હોવાનું જાણવા મળ્યું છે. દર્દીને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે લઈ જવામાં આવે ત્યાં જ તેનું મોત નિપજ્યું હતું.

બીજી તરફ આ ઘટનાથી હોસ્પિટલમાં ભાગદોડ મચી ગઈ હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે દર્દીએ બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી હોય તેવું લાગી રહ્યું છે. દર્દીની ઓળખ કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. બીજી તરફ કોઈ શંકાસ્પદ કારણ છે કે નહીં અને મૃતક પાસેથી કોઈ અંતિમ ચિઠ્ઠી છે કે કેમ તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

coop ahmedabad

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments