Homeગુર્જર નગરી‘શમી પર વ્યક્તિગત ટીપ્પણી ચિંતાજનક બાબત.’ સહેવાગ અને ઓવૈસીએ કહી આ વાત

‘શમી પર વ્યક્તિગત ટીપ્પણી ચિંતાજનક બાબત.’ સહેવાગ અને ઓવૈસીએ કહી આ વાત

Team Chabuk-Sports Desk: ટી ટ્વેન્ટી વિશ્વકપ 2021માં રવિવારે પાકિસ્તાને ભારતને દસ વિકેટથી પરાજય આપ્યો હતો. ટીમ ઈન્ડિયાના આ પરાજય બાદ મોહમ્મદ શમીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. શમી સિવાય વિરાટ કોહલી અને બાકી ખેલાડીઓ પર પણ ફેન્સે નિશાનો સાધ્યો હતો. આ સમગ્ર ઘટના પર ભારતના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સહેવાગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતના પરાજય બાદ શમી પર વ્યક્તિગત ટીપ્પણી એ ચોંકાવનારી બાબત છે. બીજી તરફ એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ પણ શમીનો બચાવ કરતા કહ્યું હતું કે, એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ પણ શમીનો બચાવ કરતા ભારતીય જનતા પાર્ટી પર નિશાનો સાધ્યો હતો.

ઓવૈસીએ કહ્યું હતું કે, ‘ગઈકાલ મેચ બાદ મોહમ્મદ શમીને સોશિયલ મીડિયા પર નિશાનો બનાવવામાં આવ્યો. તેનાથી મુસ્લિમોની વિરૂદ્ધ નફરત અને ઘૃણા દેખાય છે. ક્રિકેટમાં કાં તો તમે જીતો છો, કાં તો તમે હારો છો. ટીમમાં અગિયાર ખેલાડી છે, પણ માત્ર મુસ્લિમ ખેલાડીને જ નિશાનો બનાવવામાં આવ્યો છે. શું ભાજપ સરકાર એની નિંદા કરશે?’

વીરેન્દ્ર સહેવાગે ટ્વીટ કરી કહ્યું કે, મોહમ્મદ શમી પર ઓનલાઇન અટેક ચોંકાવનારું છે અને અમે તેની સાથે ઉભા છીએ. એ એક ચેમ્પિયન છે અને કોઈ પણ ખેલાડી જે ભારતની જર્સી પહેરે છે, તેની અંદર ઓનલાઈન ભીડ કરતા વધારે દેશભક્તિ હોય છે. અમે તારી સાથે છીએ શમી. આગામી મેચમાં જલવો દેખાડ.

ટી ટ્વેન્ટી વિશ્વકપ 2021માં પોતાના પ્રથમ મેચમાં ભારતને પાકિસ્તાનની વિરૂદ્ધ દસ વિકેટથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાને આ મેચમાં ભારતને 151 રન પર અટકાવ્યા બાદ એક પણ વિકેટ ગુમાવ્યા વગર લક્ષ્યાંક પાર કરી લીધું હતું. પાકિસ્તાન માટે બોલિંગમાં શાહીન શાહ અફ્રિદી અને બેટીંગમાં બાબર-રિઝવાનની જોડીએ કમાલ કરી દીધો હતો. ત્રણ ખેલાડીઓની સહાયતાથી જ પાકિસ્તાને મેચ જીતી લીધી હતી. શાહીનને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. આ પ્રથમ વખત છે કે ભારતીય ટીમ વિશ્વકપમાં પાકિસ્તાનની સામે હારી છે. ટી ટ્વેન્ટી ક્રિકેટમાં બીજી વખત ભારત પાકિસ્તાન સામે હાર્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments