Team Chabuk-Gujarat Desk: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM kisan) યોજના હેઠળ સહાય માટે પાત્ર રાજ્ય સરકારો અને UT વહીવટીતંત્રો દ્વારા ઓળખવામાં આવેલા તમામ જમીન ધરાવતા ખેડૂત પરિવારોને ટૂંક સમયમાં તેમના બેંક ખાતામાં 12મો હપ્તો મળશે. યોજના હેઠળ, તમામ પાત્ર જમીન ધરાવતા ખેડૂત પરિવારોને ત્રણ સમાન હપ્તામાં પ્રતિ વર્ષ 6,000 રૂપિયાની આવક સહાય ઓફર કરવામાં આવે છે. કિસાન સન્માન નિધિ યોજનાના 12 મા હપ્તાના પૈસા ખેડૂતોના ખાતામા જમા કરવાની સરકારે તારીખ જાહેર કરી છે. જો તમે પણ 12માં હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે એક સારા સમાચાર છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે મોદી સરકાર ખેડૂતોના ખાતામાં 17 ઓક્ટોબરે પીએમ કિસાન યોજના હેઠળ 10 કરોડથી વધુ ખેડૂતોને 16,000 કરોડ રૂપિયા જમા કરશે.
17 ઓક્ટોબરે લાભાર્થી ખેડૂતોના ખાતામાં 2000ની રકમ જમા કરી દેશે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (PM kisan)યોજનાને પીએમ મોદીએ 2019માં લોન્ચ કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ દેશભરના તમામ જમીનધારક ખેડૂત પરિવારોને ખેતીલાયક જમીનની સાથે આવક સહાય પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ વાર્ષિક ₹6000ની રકમ ₹2000ના 4 હપ્તામાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જ આપવામાં આવે છે. નાણાકીય વર્ષમાં પીએમ કિસાનનો હપ્તો ત્રણ વખત જમા થાય છે. પ્રથમ એપ્રિલ અને જુલાઈની વચ્ચે, બીજું ઓગસ્ટ અને નવેમ્બરની વચ્ચે અને ત્રીજું 3 ડિસેમ્બરથી માર્ચની વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવે છે.
પીએમ મોદી કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની પીએમ કિસાન ફ્લેગશિપ યોજના હેઠળ ખેડૂતોને 16,000 કરોડ રૂપિયાની 12મી હપ્તાની રકમ જાહેર કરશે. આધુનિક ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મોડ દ્વારા લાભ પાત્ર લાભાર્થીઓના બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવશે.
અત્યાર સુધીમાં ખેડૂત પરિવારોને PM કિસાન હેઠળ 11 હપ્તાઓ દ્વારા 2 લાખ કરોડ રૂપિયાથી વધુનો આર્થિક લાભ મળ્યો છે. તેમાંથી 1.6 લાખ કરોડ રૂપિયા કોવિડ-19 મહામારીના સમયગાળા દરમિયાન ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 17મી ઑક્ટોબરે રિલીઝ થનારી 12મી હપ્તાની સાથે, લાભાર્થીઓને ટ્રાન્સફર કરવામાં આવેલી કુલ રકમ રૂ. 2.16 લાખ કરોડથી વધુને પાર થવાની ધારણા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત