Team Chabuk-Gujarat Desk: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રો પોતાની ઉપજ સારા ભાવથી વેચી શકે તે અર્થે આત્મા પ્રોજેક્ટ ગીર સોમનાથ અને જિલ્લા પંચાયત ગીર સોમનાથ દ્વારા જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે એક બજાર વ્યવસ્થા તરીકે પ્રાકૃતિક કૃષિ હાટ ઉભું કરવામાં આવેલ છે.
આ પ્રાકૃતિક કૃષિ હાટમાં ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો સારા ભાવથી શાકભાજી, કઠોળ, અનાજ તેમજ ફળફળાદી વગેરે ઉત્પાદનો વેચી શકશે. આ પ્રાકૃતિક કૃષિ હાટનું શુભારંભ જિલ્લા વિકાસ અધિકારી આર. ડી. ખતાલે દ્વારા કરવામાં આવ્યું હતું.
આ બજાર હેઠળ પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે કુલ ૯ સ્ટોલ ઉભા કરાયા છે. જેમાં ગીર સોમનાથ જિલ્લાના તેમજ આસપાસના ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના જંતુનાશક દવાઓ અને રસાયણ મુક્ત ખેત ઉત્પાદનો ખરીદવા ઈચ્છતા ખરીદદારોને આ સ્થળની મુલાકાત લેવા જિલ્લા પંચાયત દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. ખેડૂતોની આવક આવનાર સમયમાં બમણી કરવાના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવામાં આ પહેલ ખેડૂતોના હિતમાં મદદરૂપ બનશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
