Team Chabuk-Gujarat Desk: રાજકોટના રૈયાધારમાં ભાડાના મકાનમાં રહેતી નિલમ પ્રફુલ મેરિયા નામની યુવતીએ તાજેતરમાં જ આત્મહત્યા કરી લીધી હતી. ગત 6 સપ્ટેમ્બરે ફાંસો ખાઇ યુવતીએ જીવન ટૂંકાવી લીધું હતું. જે મામલે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે.
સમગ્ર મામલે નિલમના અમદાવાદ રહેતા પિતા મહેન્દ્રભાઇ વશરામભાઇ સોલંકીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે નિલમના પ્રેમી પ્રફુલ કિશોર મેરિયાનું નામ આપ્યું હતું, મહેન્દ્રભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, નિલમના અગાઉ જ્ઞાતિના યુવક સાથે લગ્ન થયા હતા.
તેને સંતાનમાં એક પુત્રી અને એક પુત્રની પ્રાપ્તી થઇ હતી, પતિ સાથે મનમેળ નહીં થતાં નિલમે છૂટાછેડા લઇ લીધા હતા અને છ મહિના પૂર્વે પ્રફુલ મેરિયા સાથે મૈત્રી કરાર કરી તેની સાથે રાજકોટમાં રહેતી હતી અને તેના બંને સંતાનોને પણ સાથે રાખતી હતી. પ્રફુલ મેરિયા બંને બાળકોને પિયર મૂકી આવવાનું કહી બાળકો અને નિલમને મારકૂટ કરતો હતો અને તેના ત્રાસથી કંટાળી નિલમે આત્મહત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ