Homeગુર્જર નગરીરાજકોટ: શા માટે બે પાક્કી બહેનપણીએ ગળેફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું ?

રાજકોટ: શા માટે બે પાક્કી બહેનપણીએ ગળેફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું ?

Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક બહેનપણીએ આપઘાત કરી લેતા તેના શોકમાં બીજી બહેનપણીએ પણ જીવન ટૂંકાવી લીધુ હોવાનો દાવો કરાયો છે. બંને બહેનપણીના આપઘાતની ઘટનાથી રૈયાધાર અને ગાંધીગ્રામ શાસ્ત્રીનગરના બાવાજી અને ભરવાડ પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.

મળતી માહિતી મુજબ શહેરના રૈયાધારના શીતળા માતાજીના મંદિર પાસે રહેતી 17 વર્ષીય પૂજા રમાવાત અને ગાંધીગ્રામ શાસ્ત્રીનગરમાં રહેતી જીવી ધ્રાંગિયાએ આત્મહત્યા કરી લીધી છે. 17 વર્ષીય પૂજાએ પોતાના ઘરમાં જ ગળેફાંસો લગાવીને આપઘાત કર્યો છે. પૂજાના પિતા મજૂરીકામ કરે છે. ગઈકાલે તે ઘરે એકલી હતી ત્યારે રૂમને અંદરથી બંધ કરીને તાળુ લગાવ્યું હતું, પોતાની જ ચૂંદડી વડે ગળેફાંસો લગાવી લીધો હતો.

પૂજાએ બારણું ન ખોલતા ઘરનો દરવાજો તોડી નાખવામાં આવ્યો હતો. અંદર જઈને જોયું તો પૂજાનો મૃતદેહ લટકી રહ્યો હતો. પૂજાના પરિવારને કઈ સમજાતું ન હતું. ત્યારબાદ તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, પૂજા વારંવાર ફોનમાં વ્યસ્ત રહેતી હતી. જો કે, આખરે એવુ શુ થયુ કે તેણે આત્મહત્યાનો નિર્ણય લીધો. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. પૂજાના મોબાઈલમાંથી વધુ વિગતો મળી શકે છે.

પૂજાના આત્મહત્યા બન્યા બાદ મોડી રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ જીવીએ પણ આત્મહત્યા કરી લીધી હોવાની જાણ થઈ હતી. શહેરના ગાંધીગ્રામ રામપીર ચોકડી પાસે પરિવાર સાથે રહેતી જીવી રવિ ધ્રાંગિયાએ પશુઓને બાંધવાના ઢાળિયામાં લોખંડના એંગલમાં દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, જીવી અને પૂજા બંને ખાસ બહેનપણીઓ હતી. બંને રૈયાધારમાં આવેલ એક દુકાનમાં પાંચ વર્ષથી ખજૂર પેકિંગનું કામ કરતી હતી. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે, પૂજાની આત્મહત્યાની જાણ થયા બાદ જીવી એટલું રડી હતી કે તે અર્ધબેભાન થઈ ગઈ હતી. હાલ આ રહસ્યમય ઘટના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસમાં ચોંકાવાનારા ખુલાસા થઈ શકે છે.

(નોંધ-તસવીર પ્રતિકાત્મક છે)

તાજેતાજો ઘાણવો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments