Team Chabuk-Gujarat Desk: શાનદાર સવારી એસટી હમારી ના સ્લોગન સાથે ગુજરાતભરમાં વણથંભ્યો પ્રવાસ કરી યાત્રિગણોને તેમના નિશ્ચિત સ્થાન પર પહોંચાડનારી ગુજરાત એસટીએ એક નવો કિર્તિમાન રચી દીધો છે. આમ તો આ વખતે પ્રવાસીઓની ઉમટેલી ભીડ, દિવાળીના તહેવારોનો સંયોગ, અવિરત બુકિંગ અને કોરોનાથી ત્રાસેલા લોકોએ હરવા ફરવાના સ્થળો પર જમાવડો કરી દીધો છે. જેની સાબિતી રૂપે અમદાવાદથી લઈને રાજકોટ સુધીના કેટલાય નગરો ખાલી ખાલી લાગી રહ્યા છે.
ઓનલાઈનના વેપારમાં ગુજરાત એસટી પણ છે. અને તેમને આ વર્ષનો ઓનલાઈન વેપાર મોજેદરિયા કરાવી જાય એવો રહ્યો છે. તારીખ સાત નવેમ્બરથી એટલે કે ભાઈબીજથી રવિવાર સુધીમાં ઐતિહાસિક 90 હજારથી વધારેની ટિકિટનું એડવાન્સ બુકિંગ રહ્યું છે. પ્રાથમિક દૃષ્ટીએ તો એવું લાગે છે કે દિવાળી અથવા તો દિવાળી પહેલા બુકિંગનો મહાસાગર ઉમટ્યો હોવો જોઈએ પણ વાસ્તવિક ચિત્ર તો અલગ જ ભાસી રહ્યું છે.
ભાઈબીજાના તહેવારના એક જ દિવસમાં એટલે કે 7 નવેમ્બરના રોજ ઐતિહાસિક 90,526 ટિકિટો બુક થઈ છે. આ વખતે થયેલા બુકિંગ થકી એસટી વિભાગની તિજોરીમાં 1.89 કરોડની આવક થઈ છે. અગાઉ 2019ના વર્ષમાં 74,300 ટિકિટ બુક થઈ હતી, જેનો કિર્તીમાન 2021માં તૂટી ગયો છે. મોટા શહેરોની જો વાત કરવામાં આવે તો, રાજકોટ-અમદાવાદ રૂટ પર 9,100 ટિકિટ, અમદાવાદ- વડોદરા રૂટ પર 9000 હજાર ટિકિટ બુક થઈ છે.
ક્રમ | તારીખ | બુકિંગ |
1 | 4 નવેમ્બર | 53,900 |
2 | 5 નવેમ્બર | 58,440 |
3 | 6 નવેમ્બર | 89,037 |
4 | 7 નવેમ્બર | 90,526 |
સૌથી મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થતો હોય છે કે પ્રવાસીઓ ગુજરાતમાં જ એસટીનું બુકિંગ કરી આખરે જતા ક્યાં હોય છે. જવાબ છે કે તહેવારોના દિવસોમાં 60 ટકા પ્રવાસીઓ દાહોદ અને પંચમહાલ તરફની બસ પકડે છે જ્યારે 40 ટકા પ્રવાસીઓ સૌરાષ્ટ્ર તરફના રુટની બસ પકડે છે. આ સિવાય સૌથી વધારે ટિકિટ કયા રૂટ પર બુક થઈ એ પણ જોઈ લઈએ.
ક્રમ | રૂટ | બુકિંગ |
1 | અમદાવાદ-દાહોદ | 15,700 |
2 | અમદાવાદ-ભાવનગર | 13,200 |
3 | રાજકોટ-અમદાવાદ | 9,100 |
4 | અમદાવાદ-વડોદરા | 9000 |

તાજેતાજો ઘાણવો
- પુલવામા હુમલાના 6 વર્ષઃ આજે પ્રેમની વાતો નહીં વીરોની વાત થઈ રહી છે
- સોનાના ભાવમાં ક્યારે લાગશે બ્રેક ? આજે ભાવમાં ફરી વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર