Team Chabuk-Sports Desk: ટી ટ્વેન્ટી વિશ્વકપમાં ભારતીય ટીમના અભિયાનનો અંત આવ્યો છે. ટીમે વિશ્વકપના અંતિમ અને ઔપચારિક મેચમાં નામીબિયાની ટીમને નવ વિકેટથી સજ્જડ પરાજય આપ્યો હતો. વિરાટ કોહલીએ ટી ટ્વેન્ટીની પોતાની કેપ્ટનશીપ પણ છોડી દીધી છે. કોહલીની સાથે સાથે રવિ શાસ્ત્રી પણ કોચ પદ પરથી અલવિદા કરશે. જોકે તેમણે પદ છોડતા પહેલા નવા કપ્તાનની આગાહી કરી દીધી છે.
રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયા સાથેના પોતાના પ્રવાસ સિવાય ભારતીય ટીમના આગામી સંભવિત કેપ્ટનની પણ વાત કરી છે. તેમણે કહ્યું કે, રોહિત શર્મા ભારતીય ટીમને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. રવિ શાસ્ત્રીએ આ અંગે કહ્યું હતું કે, રોહિતના રૂપમાં આપણી પાસે એક યોગ્ય માણસ છે. તેણે અઢળક આઈપીએલ પુરસ્કાર જીત્યા છે. લાંબા સમયથી તે ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન પણ છે.
આ સાથે જ રવિ શાસ્ત્રીએ બે ટીમ અને બે કેપ્ટન પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, બાયો બબલનો થાક અને અસંખ્ય સિરીઝને જોતા આ સમયે આ પ્રકારની વિભાવના હોવી જોઈએ. પોતાની વાતને આગળ રાખતા તેમણે કહ્યું હતું કે, બાયો બબલના થાકને જોતા બે ટીમ, બે કેપ્ટનની આ સમયે ખાસ જરુરિયાત છે. એ પણ જાણતા કે કેટલું ક્રિકેટ રમાય રહ્યું છે. ખેલાડીઓને બદલવાની જરૂર છે. તમે છ મહિના સુધી તમારા માતા પિતાને નથી મળી શકતા. હું માનસિક રૂપથી થાકી ચૂક્યો છું. મારી ઉંમરમાં આ સંભવ છે. પણ આ ખેલાડીઓ માનસિક અને શારીરિક બંને રૂપથી થાકી ચૂક્યા છે. છ મહિના બાયો બબલમાં… અને આઈપીએલ અને ટી ટ્વેન્ટી વચ્ચે અમે વિરામ પસંદ કરેત, કારણ કે જ્યારે મોટી રમત હોય છે, ત્યારે પ્રેશર હોય છે. ત્યારે તમે એ પ્રકારનું નથી રમી શકતા જે પ્રકારની તમારી રમત છે.
રવિ શાસ્ત્રીએ ટી ટ્વેન્ટી વિશ્વકપમાં ટીમના ખરાબ પ્રદર્શન પર વાત કરતા કહ્યું કે, આ કોઈ બહાનું નથી. અમે હાર સ્વીકારીએ છીએ. અને અમે હારવાથી ડરતા નથી. જીતવાના પ્રયાસમાં તમે કેટલાક મેચ હારો છો. પણ અહીં અમે જીતવાની કોશિશ ન કરી કારણ કે અમારું એક્સ ફેક્ટર જ ગાયબ હતું. અંતમાં રવિ શાસ્ત્રીએ છઠ્ઠા બોલર પર પણ વાત કરતા કહ્યું કે, પહેલા અમારી પાસે ટોપ ઓર્ડરમાં છ એવા ખેલાડીઓ હતા, જે મિડલ ઓર્ડરમાં લાંબા શોટ્સ રમવામાં સક્ષમ રહેતા હતા. આ એ વિસ્તાર છે જેના પર અમારે કામ કરવાની આવશ્યકતા છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત