Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં દિન પ્રતિદિન રોડ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. અકસ્માતના કારણે અનેક જિંદગીઓ છીનવાઈ રહી છે. ત્યારે આજે ભાવનગરના નવાબંદર રોડ પર અને આણંદમાં વઘાસી નજીક નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનની બે અલગ અલગ ઘટનામાં કુલ 6 લોકોના મોત થયા છે.
ભાવનગરમાં અકસ્માતમાં 4નાં મોત
ભાવનગર શહેરના નવાબંદર રોડ પર સ્વિફ્ટ કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ચાર લોકોના સ્થળ પર મોત થયા છે. આ ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ત્યારબાદ પોલીસને ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનામાં ભોગ બનેલા મૃતકોને બહાર કાઢવા ફાયર વિભાગની પણ મદદ લેવાઇ હોવાની માહિતી મળી રહી છે. ત્યારબાદ પોલીસે મૃતદેહોને બહાર કાઢીને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદમાં બેનાં મોત
આણંદમાં બનેલી અકસ્માતની ઘટના અંગે વાત કરીએ તો, વઘાસી નજીક નેશનલ હાઇ-વે પર હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં અજાણ્યા વાહનની ટકકરે બે યુવકોના કરૂણ મોત નિપજ્યા છે. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે પુરપાટ ઝડપે જતા વાહને ટક્કર મારતા બંને યુવાનો 15 ફૂટ દૂર ફંગોળાયા હતા. જ્યાં તેઓનું મોત થયું છે.
મૃતક યુવાનો મૂળ ઉત્તરપ્રદેશ અને બિહારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને વઘાસી નજીક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. અને નોકરી પુરી કરીને તેઓ પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે હાઇ-વે રોડ પરથી પસાર થતા અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પહોંચી ગઈ હતી અને મૃતક બંને યુવાનોના મૃતદેહને PM માટે ખસેડાયા હતા. આ ઘટનામાં આણંદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
