Homeગુર્જર નગરીશ્રાવણ માસના છેલ્લા સોમવારે સોમનાથ મહાદેવના દર્શને ઉમટ્યું માનવ મહેરામણ, નીકળી પાલખીયાત્રા

શ્રાવણ માસના છેલ્લા સોમવારે સોમનાથ મહાદેવના દર્શને ઉમટ્યું માનવ મહેરામણ, નીકળી પાલખીયાત્રા

Team Chabuk-Gujarat Desk: શ્રી સોમનાથ મહાદેવ ના સાનિધ્યે શ્રાવણ માસના ચોથા સોમવારે ભક્તો નો માનવ સમુદાય ઉમટી પડ્યો… ભક્તોના  જય સોમનાથ ના નાદ થી મંદિર ગુંજી ઉઠ્યું. શ્રી સોમનાથ મહાદેવને પ્રાતઃ પીતાંબર અને પુષ્પોનો શ્રુંગાર કરવામાં આવેલ. ભક્તો શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બનેલા હતા. 

શ્રાવણના ચોથા સોમવારે શ્રી સોમનાથ મહાદેવની પાલખીયાત્રામાં બમ બમ ભોલે હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું.પરંપરાગત રીતે યોજાતી પાલખીયાત્રામાં સોમનાથ મહાદેવની પાલખીયાત્રાને પુષ્પહારથી શણગારવામાં આવી હતી. મંદિર પરિસરમાં હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે પરિસરમાં ફરી હતી. આ પ્રસંગે પાલખી પૂજન જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે સાહેબ ,જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સાહેબ, એક્ઝિક્યુટીવ ઓફિસર દિલીપભાઇ ચાવડા સાહેબ દ્વારા કરવામાં આવેલું હતું. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments