Team Chabuk-Sports Desk: BCCIએ મહિલા T20 વર્લ્ડકપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. વર્લ્ડ કપની સાથે જ BCCIએ ભારત, વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રિકોણીય શ્રેણી માટે પણ ભારતીય ટીમની જાહેરાત કરી છે. T20 વર્લ્ડકપ 10 ફેબ્રુઆરી 2023થી શરૂ થશે. જ્યારે ત્રિકોણીય શ્રેણી 19 જાન્યુઆરીથી શરૂ થશે. ભારતીય ટીમ 12 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે ટકરાશે.
ટીમ ઈન્ડિયા વિશ્વમાં ગ્રુપ-2માં છે. આ ગ્રુપમાં ભારતીય ટીમની સાથે ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, પાકિસ્તાન અને આયરલેન્ડ છે. બંને ગ્રુપમાં ટોપ-2 ટીમ સેમિફાઇનલમાં સ્થાન મેળવશે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 26 ફેબ્રુઆરી, 2023એ કેપટાઉનમાં રમાશે.
T20 માટે ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટ-કીપર), ઋચા ઘોષ (વિકેટ-કીપર), જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, રાધા યાદવ, રેણુકા ઠાકુર, અંજલિ સરવાણી , પૂજા વસ્ત્રાકર , રાજેશ્વરી ગાયકવાડ , શિખા પાંડે.
રિઝર્વ ખેલાડીઓઃ એસ. મેઘના, સ્નેહ રાણા, મેઘના સિંહ.
NEWS 🚨 – India squad for ICC Women’s T20 World Cup 2023 & tri-series in South Africa announced.
— BCCI Women (@BCCIWomen) December 28, 2022
More details here – https://t.co/3JVkfaDFPN #TeamIndia pic.twitter.com/FJex4VhAG6
વર્લ્ડકપમાં ભારતીય ટીમનું શેડ્યૂલ
પાકિસ્તાન સામે પ્રથમ મેચ – 12 ફેબ્રુઆરી: કેપટાઉન.
વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી મેચ – 15 ફેબ્રુઆરી: કેપટાઉન.
ઈંગ્લેન્ડ સામે ત્રીજી મેચ – 18 ફેબ્રુઆરી: પોર્ટ એલિઝાબેથ.
આયરલેન્ડ સામે ચોથી મેચ – 20 ફેબ્રુઆરી: પોર્ટ એલિઝાબેથ.
આ પહેલા પહેલા ભારતે દક્ષિણ આફ્રિકામાં ત્રિકોણીય શ્રેણી રમવાની છે. ત્રિકોણીય શ્રેણીમાં ભારત ઉપરાંત દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ છે.
ત્રિકોણીય શ્રેણી માટે ભારતીય ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), યાસ્તિકા ભાટિયા (વિકેટ-કીપર), જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, રાજેશ્વરી ગાયકવાડ, રાધા યાદવ, રેણુકા ઠાકુર, મેઘના સિંહ, અંજલિ સરવાની, સુષ્મા વર્મા, અમનજોત કૌર, પૂજા વસ્ત્રાકર, એસ. મેઘના, સ્નેહ રાણા, શિખા પાંડે. પૂજા વસ્ત્રાકરનું ટીમમાં સામેલ થવું ફિટનેસ પર નિર્ભર છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
