Homeદે ઘુમા કેT20 World Cup 2022: કોહલી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો શું છે...

T20 World Cup 2022: કોહલી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો શું છે મામલો, શું કહે છે ક્રિકેટના નિયમ

Team Chabuk-Sports Desk: T20 World Cupમાં નો બોલ બાદ વધુ એક વિવાદ સર્જાયો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચમાં કોહલીની ફિલ્ડિંગ મુદ્દે સોશિયલ મીડિયા પર બબાલ થઈ છે. બાંગ્લાદેશના સમર્થકો આને અમ્યાયરનું કૂણું વલણ ગણાવી રહ્યા છે તો ભારતીય સમર્થકો કહી રહ્યા છે કે, હાર બાદ બહાના કરવાનું બંધ કરો.

એડિલેન્ડમાં બુધવારે ભારત અને બાંગ્લાદેશની ટીમ વચ્ચે જોરદાર ટક્કર જામી હતી. ભારતે આ મહત્ત્વની મેચમાં 5 રને વિજય મેળવ્યો હતો. જો કે, હાર્યા બાદ બાંગ્લાદેશની ટીમ વિરાટ કોહલીની ફિલ્ડિંગ પર સવાલ ઉઠાવી રહી છે. બાંગ્લાદેશી વિકેટકીપર નુરુલ હસને કહ્યું- ‘કોહલીએ મેચ દરમિયાન ફેક ફિલ્ડિંગ કરી હતી.’ સાથે જ અપ્યાર પર પણ સવાલ ઉઠાવ્યા છે.


આરોપો ગંભીર છે કારણ કે જો અમ્પાયરે પેનલ્ટી લગાવી હોત તો બાંગ્લાદેશના ખાતામાં 5 રન ઉમેરાયા હોત. જો આમ થયું હોત તો ભારતે 5 રનથી જીતેલી મેચ ડ્રો થઈ હોત અને મેચમાં સુપર ઓવર આવી હોત.

દાવો છે કે, વરસાદ પહેલાં બાંગ્લાદેશ બેટિંગ કરી રહી હતી. લિટન દાસે 7મી ઓવરનો પહેલો બોલ ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગની દિશામાં રમ્યો હતો. જેને અર્શદીપે વિકેટ કીપર તરફ ફેંક્યો હતો. કોહલી પણ વચ્ચે જોવા મળ્યો હતો. તેની પાસે ન તો બોલ હતો કે ન તો થ્રો તેની તરફ ફેંકવામાં આવ્યો હતો. પરંતુ કોહલીએ નોન-સ્ટ્રાઈકર છેડે ફેંકવાની એક્ટિંગ કરી હતી.

ભારત સામેની હાર બાદ બાંગ્લાદેશના નુરુલ હસને કહ્યું, ‘ઓન-ફિલ્ડ અમ્પાયરોએ કોહલીની ફેક ફિલ્ડિંગની અવગણના કરી.’ નુરુલે કહ્યું- ‘જો તે નિર્ણય બાંગ્લાદેશના પક્ષમાં હોત તો સ્થિતિ અલગ હોત. જમીન ભીની હતી અને તેની અસર બધાએ જોઈ. મને લાગ્યું કે થ્રો નકલી હતો. જો તેને દંડ કરવામાં આવ્યો હોત તો મેચ અમારી તરફેણમાં હોત, પરંતુ એવું થયું નહીં.

શું છે નિયમ ?
આઈસીસીના નિયમ 41.5 હેઠળ, જો બોલ જાણીજોઈને બેટરનું ધ્યાન ભંગ કરે, છેતરે અથવા અવરોધે તો તેને ડેડ બોલ જાહેર કરી શકાય છે. ઉપરાંત, બેટિંગ કરનાર ટીમને પેનલ્ટી તરીકે 5 રન મળી શકે છે.

બાંગ્લાદેશના ક્રિકેટ એક્સપર્ટે કહ્યું- ‘કોહલી ફેક ફિલ્ડિંગથી નજમુલ હુસૈન સેન્ટોનું ધ્યાન ભટકાવી રહ્યો હતો. નિયમ મુજબ ભારત પર 5 રનની પેનલ્ટી લગાવવી જોઈતી હતી. પરંતુ અમ્પાયરે કંઈ કર્યું નહીં.

તો હર્ષા ભોગલે કોહલીના બચાવમાં આવ્યા અને કહ્યું કે, અમારામાંથી કોઈએ ફેક ફિલ્ડિંગ જોઈ નથી. ફેક ફિલ્ડિંગ અને ભીના મેદાન પર હારનો દોષ ન દો. જો તમારો એક બેટર પિચ પર રહ્યો હોત તો પરિણામ અલગ હોત. તેમણે ટોણો મારતા લખ્યું- ‘જ્યારે આપણે હારનાં બહાનાં શોધીએ છીએ, ત્યારે આપણે આગળ વધી શકતા નથી.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments