Homeદે ઘુમા કેIND vs BAN: ભારતે 2-0થી સિરીઝ જીતી, ફરી અશ્વિન મેચ વિનર બન્યો,...

IND vs BAN: ભારતે 2-0થી સિરીઝ જીતી, ફરી અશ્વિન મેચ વિનર બન્યો, કોહલીએ 22 બોલ પર માત્ર 1 રન બનાવ્યો !

Team Chabuk-Sports Desk: ભારતે મીરપુર ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે જીત નોંધાવી સિરીઝ પોતાના નામે કરી લીધી છે. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશની ટીમને 3 વિકેટથી હરાવ્યું છે. ભારતે ચોથી વખત બાંગ્લાદેશને ક્લીન સ્વીપ કર્યું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ભારત બીજા ક્રમે છે. તેને 58.93 માર્ક્સ છે. ઓસ્ટ્રેલિયા 76.92% માર્ક્સ સાથે પ્રથમ ક્રમે છે.

ચોથા દિવસે રવિવારના પ્રથમ સેશનમાં ભારતીય ટીમે શ્રેયસ-અશ્વિનની અડધી સદીની પાર્ટનરશીપથી 7 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધુ હતું. બંનેએ 8મી વિકેટ માટે અણનમ 71 રન બનાવ્યા હતા. અક્ષરે 34 અને આર. અશ્વિને મહત્વના 42 રનનું યોગદાન આપ્યુ હતું. આમ, ટીમ ઈન્ડિયા માટે ફરી એકવાર અશ્વિન મેચ વિનર સાબિત થયો.

અક્ષર પટેલ 34 રન બનાવીને આઉટ થયો હતો. તેને મેહદી હસન મિરાજે બોલ્ડ કર્યો હતો. તેને આ ઇનિંગની 5મી વિકેટ મળી હતી. મેહદીએ રિષભ પંત (9 રન), પૂજારા, ગિલ અને કોહલીને આઉટ કર્યો હતો.જયદેવ ઉનડકટ 13 રન બનાવીને આઉટ થયો હતો. આ પહેલાં વિરાટ કોહલી 22 બોલ પર 1 રન બનાવીને આઉટ થયો હતો.

ભારતને જીતવા માટે 67 રનની જરૂર છે. ત્યારે બાંગ્લાદેશને ત્રણ વિકેટની જરૂર હતી. બાંગ્લાદેશે બીજા દાવમાં 231 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે 145 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ પહેલા ભારતે પ્રથમ દાવમાં 314 અને બાંગ્લાદેશે 227 રન બનાવ્યા હતા.

શનિવારે ત્રીજા દિવસે બાંગ્લાદેશે બીજી ઈનિંગમાં 231 રન બનાવ્યા હતા. જેમાં સૌથી વધુ લિટન દાસના 73 અને ઝાકિર હસનના 51 રન હતા. વિકેટકીપર નુરુલ હસન અને તસ્કીન અહેમદે 31-31 રન બનાવ્યા હતા. તો ભારત તરફથી અક્ષર પટેલે 3 અને રવિચન્દ્રન અશ્વિન અને મોહમ્મદ સિરાજે 2-2 વિટેટ લીધી હતી. ઉમેશ યાદવ અને જયદેવ ઉનડકટે એક-એક વિકેટ ઝડપી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments