Team Chabuk-Gujarat Desk: સુરતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં 35 વર્ષના યુવાનનું માછલી ખાધા બાદ મોત થયું છે. મુન્ના યાદવ નામના યુવાનને માછલી ખાતી વખતે ગળામાં કાંટો ફસાઇ ગયો હતો. જે બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. મુન્નાની તબિયત લથડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું.
મળતી માહિતી મુજબ, શહેરમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં આ દુર્ઘટના બની છે. જેમાં 35 વર્ષનો યુવાન માછલી ખાઇ રહ્યો હતો. આ દરમિયાન મુન્ના યાદવના ગળામાં માછલીનો કાંટો ફસાઇ ગયો હતો. જે બાદ આ ફસાયેલા કાંટાને કારણે તેને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડી હતી.
મુન્નાનો પરિવાર તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. ટૂંકી સારવાર બાદ અહીં ડૉક્ટરની ટીમે તેને મૃત જાહેર કર્યો હતો. પુરી સારવાર મળે તે પહેલાં જ મુન્ના યાદવના શ્વાસ થંભી ગયા હતા. જેને લઈને તેના પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત