Homeગુર્જર નગરીસુરત: માતાજી વિશે અપમાનજનક ટીપ્પણી કરનારા સ્વામિનારાયણ મંદિરના સ્વામી પર થપ્પડોનો વરસાદ

સુરત: માતાજી વિશે અપમાનજનક ટીપ્પણી કરનારા સ્વામિનારાયણ મંદિરના સ્વામી પર થપ્પડોનો વરસાદ

Team Chabuk-Gujarat Desk: સુરતના અમરોલી વિસ્તારમાં હરસિદ્ધિ સોસાયટીમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના મહંતને મેથીપાક મળ્યો હતો. કેટલાક લોકોએ મહંત જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી ઉપર થપ્પડોનો વરસાદ એટલા માટે વરસાવ્યો હતો, કારણ કે તેમણે માતાજી અંગે અપમાનજક ટીપ્પણી કરી હતી. આ અંગે સ્વામીજીનું એવું કહેવું છે કે, માફી માગી લેવામાં આવી હતી છતાં તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.

advertisement-1

સ્વામીજી પર થયેલા થપ્પડોનો વરસાદ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. જેમાં એક ટોળું સ્વામીજીની સાથે ચર્ચા કરી રહ્યું હોય છે. ચર્ચા ઉગ્ર થઈ જાય છે અને ટોળું રોષે ભરાઈ જાય છે. એવામાં સ્વામીજી ઉપર થપ્પડો વરસવા લાગે છે. સ્વામીજીને બરાબરનો મેથીપાક જડે છે. જણાવી દઈએ કે જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી એ વડતાલની ગાદીના રાકેશ પ્રસાદ સ્વામીના શિષ્ય હરિવલ્લભ સ્વામીના શિષ્ય છે. તેમણે માતાજી અંગે અપમાનજનક ટીપ્પણી કરી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

advertisement-1

આ અંગે સ્વામીજી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, તેમના દ્વારા જે ટીપ્પણી થઈ હતી તેના પર માફી માગવામાં આવી છે. હાલ જેમણે સ્વામીજી પર થપ્પડ પ્રહારો કર્યાં તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવી કે નહીં તે અંગે સ્વામીજી મનોમંથન કરી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments