Homeગુર્જર નગરીજાણીતા ઉદ્યોગપતિ અને આપના પૂર્વ નેતા મહેશ સવાણીને હાર્ટ એટેક આવતા દાખલ...

જાણીતા ઉદ્યોગપતિ અને આપના પૂર્વ નેતા મહેશ સવાણીને હાર્ટ એટેક આવતા દાખલ કરાયા

Team Chabuk-Gujarat Desk: સુરતના જાણીતા ઉદ્યોગપતિ, સમાજ સેવક અને આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા મહેશ સવાણીને હાર્ટ એટેક આવ્યો છે. મહેશ સવાણીએ ગત મોડી રાત્રે હૃદયમાં દુઃખાવાની ફરિયાદ તેમના પરિવારજનોને અને મિત્રોને કરી હતી. ત્યારબાદ વધુ દુઃખાવો ઉપડતાં તેમને પી.પી.સવાણી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તબીબોએ જણાવ્યું હતું કે, મહેશભાઈને હાર્ટ એટેક આવ્યો છે. હાલ ડોક્ટરો દ્વારા મહેશ સવાણીની સારવાર કરવામાં આવી રહી છે.

ડોક્ટરના જણાવ્યા પ્રમાણે હાલ મહેશ સવાણીની તબિયત સ્થિર છે. ચિંતાની કોઈ વાત નથી. પરંતુ મહેશ સવાણીના હાર્ટ એટેકના સમાચાર મળતાં જ તેમના શુભેચ્છકો, પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને હજારો દીકરીઓના લગ્ન કરાવનાર મહેશ સવાણીને હાર્ટ એટેક આવતા તેમની આ દીકરીઓમાં ચિંતા જોવા મળી રહી છે. પી.પી.સવાણી હોસ્પિટલ ખાતે તેમના પરિવારજનો અને શુભેચ્છકો તબિયત જાણવા માટે આવી રહ્યા છે.

પી. પી. સવાણી હોસ્પિટલ દ્વારા જણાવાયું હતું કે લગભગ છેલ્લા 2 દિવસથી તેમની તબિયતને લઈને થોડી તકલીફ જણાતી હતી. ગઈકાલે સવારે મહેશભાઈએ અગાઉથી જ તેમની પત્નીને પણ કહ્યું હતું કે તેમને એટેક ગમે ત્યારે આવશે એવું લાગે છે તેમજ સવારે તેમના બ્લડ રિપોર્ટ કરાવ્યા હતા. તો બપોરે શુગર હાઈ આવ્યા બાદ તેમને સાંજના પી.પી.સવાણી હોસ્પિટલ સ્થિત વધુ તપાસ માટે લાવ્યા હતા. ત્યાં કાર્ડિયોલોજિસ્ટ ડો. સંજય વાઘાણી દ્વારા તેમનું નિદાન થતાં પરિવારજનો પૈકી પિતા વલ્લભભાઈ સવાણી અને પુત્ર મિતુલ સવાણી હાજર હોવાથી તેમને હૃદયનો એટેક આવ્યો હોવાની જાણ થતાં જ તેમને તરત દાખલ કરીને વધુ સારવાર શરૂ કરવામાં આવી હતી. તેમની એન્જિયોપ્લાસ્ટી કરીને મોડી રાત્રે તેમને ICCUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments