Team Chabuk-Gujarat Desk: સુરતના રાંદેરમાં કોઝવેમાં ત્રણ બાળકો ડૂબ્યા હતા. જેમાં ત્રણેય બાળકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર, તાપી નદીના કાંઠે રમતા ત્રણ બાળકો ભરતીના પાણીમાં ખેંચાતા ડૂબી ગયા હતા. જેમાંથી મહમ્મદ કરમઅલી, શહાદત શાહ અને એક બાળકીનો મૃતદેહ મળી આવ્યા છે. ત્રણ બાળકોના મોત થતાં પરિવારજનોમાં આક્રંદ છવાયો છે. ઘટનાની જાણ થતાં જ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
સુરતમાં રાંદેરની ઈકબાલ ઝંપડપટ્ટીમાં રહેતા ત્રણેય બાળકો તાપી નદીના પટમાં શુક્રવારે બપોર પછી રમવા ગયા હતા. ત્રણેય બાળકો રમાવમાં મશગુલ થઈ ગયા હતા ત્યારે અચાનક જ ભરતીનું પાણી આવતા બાળકો પાણીમાં ખેંચાઈ ગયા અને આગળ ખાડામાં ફસાઈ ગયા હતા. બાળકો નદીમાં ડૂબ્યા હોવાની ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ભારે જેહમત બાદ ત્રણેય બાળકોના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત