Homeગુર્જર નગરીસુરત: યુવાને કિશોરી પર બળાત્કાર કર્યા પછી તેની જ સાથે લગ્ન કર્યા...

સુરત: યુવાને કિશોરી પર બળાત્કાર કર્યા પછી તેની જ સાથે લગ્ન કર્યા અને હવે…

Team Chabuk-Gujarat Desk: સુરત શહેરમાં શોષણ અને બળાત્કારની વધી રહેલી ઘટનામાં વધુ એકનો ઉમેરો થયો છે. અહીં એક કિશોરીએ ચોકબજારમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. તેણે જણાવ્યું કે તેને એક યુવકે પ્રેમજાળમાં ફસાવી તેના પર અવાર નવાર બળાત્કાર ગુજાર્યો. જ્યારે તે ગર્ભવતી થઈ ગઈ તો તેની સાથે લગ્ન કરી લીધા. એ પછી ડિલેવરી માટે આ કિશોરી પિયર ચાલી ગઈ હતી. પતિ તેના ચારિત્ર્ય પર શંકા કરતો હતો અને તેને ઘરે લઈ જવાની ના પાડતો હતો. આખરે યુવતીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.

સમગ્ર ઘટના કંઈક એવી છે કે ફૂલવાડી ભરીમાતા રોડ મદીના મસ્જીદની સામે રહેતો મહમ્મદ અનસ ખલીલ સીદીકી તેના પિતાની કરિયાણાની દુકાનમાં ખરીદી કરવા માટે આવતી 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. અનસે તેને લગ્નની લાલચ આપી હતી અને બાદમાં વારંવાર બળાત્કાર કરી પોતાની હવસ સંતોષી હતી.

સગીરા યુવકની સંતાનની મા બનવાની હતી. કિશોરી ગર્ભવતી થઈ જતા આખરે તેના એ જ યુવકની સાથે લગ્ન કરાવી નાખવામાં આવ્યા હતા. લગ્ન બાદ બાળકની ડિલેવરી કરવા માટે જ્યારે સગીરા પોતાના પિયર ગઈ પછી મહમ્મદ અનસે પોતાનો ખેલ શરૂ કર્યો હતો. તે મહેણાં ટોણાં મારતો હતો. તેના ચારિત્ર્ય પર શંકા કરતો હતો. સંતાન ત્રણ માસનું થયું હોવા છતાં ઘરે લઈ નહોતો જતો. ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે મહમ્મદ અનસની ધરપકડ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments