Homeગુર્જર નગરીસુરતઃ મકાનના હપ્તા ન ભરી શકતા બે ભાઈઓનો આપઘાત

સુરતઃ મકાનના હપ્તા ન ભરી શકતા બે ભાઈઓનો આપઘાત

Team Chabuk-Gujarat Desk: સુરતમાં ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા બે સગા ભાઈઓએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. સૂત્રોની વાત માનીએ તો મકાનના હપ્તા ન ભરાવાની લઈને આ બંને ભાઈઓએ અંતિમ પગલું ભર્યું છે.

મળતી માહિતી મુજબ ભાવનગરના વલભીપુર ખાતેના વતની એવા સુતરિયા પરિવારના પરીક્ષિત સુતરીયા અને હિરેન સુતરીયા બંને ભાઈ છેલ્લા લાંબા સમયથી રત્ના કલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. 22 વર્ષ પહેલા પિતાનું મોત થયા બાદ પરિવારની જવાબદારી માટે બંને ભાઈઓ રત્ન કલાકાર તરીકે કામ કરી પરિવારને આર્થિક મદદ કરી રહ્યા હતા.

દાવો છે કે, મંદી હતી તેના કારણે તેમને કામ મળતુ ન હતુ. જેના કારણે તેઓ સતત માનસિક તાણમાં રહેતા હતા. જેને લઈને પોતાના ઘરે અનાજમાં નાંખવાની ઝેરી દવા પી લીધા બાદ પોતાના પરિવારના સભ્યોને જાણ કરી હતી. જેને લઈને પરિવારના સભ્ય બંને ભાઈઓને સારવાર નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ બંને ભાઈઓનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરુ કરી છે.

Surat (4)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments