Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના લીંબડી રાજ મહેલમાં 56 કીલો ચાંદી સહિત એન્ટીક વસ્તુઓની ચોરીના કેસનો ભેદ ઉકેલાયો છે. LCBની ટીમે રાજ મહેલમાં ચોરી કરનારી ગેંગને ઝડપી લીધી છે અને કુલ 24 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ અનેક રાજ મહેલોમાં રજવાડાની જુની એન્ટીક વસ્તુઓની ચોરીને અંજામ આપ્યો છે. હાલ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે. પૂછપરછમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.
સુરેન્દ્રનગરના લીંબડીમાં આવેલા રાજ મહેલમાં માર્ચ મહિનાની શરૂઆતમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો બારી તોડી અલગ અલગ 10 સ્ટ્રોગરૂમમાંથી અલગ-અલગ 45 જેટલી એન્ટિક વસ્તુઓ સહિતની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ ઉપરાંત અંદાજે 56 કિલો ચાંદીના વાસણોની પણ ચોરી કરી હતી.
લીંબડી મહેલનું સંચાલન કરતા નટુભા ઝાલાએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, અજાણ્યા તસ્કરોએ ગ્રાઉન્ડ ફલોરની બારી તિક્ષ્ણ હથિયારથી તોડી અને 10 રૂમના તાળા તોડી રૂમમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ પતરાની પેટીમાં રાખવામાં આવેલી 56 કિલો સુધ્ધ ચાંદી, રાજશાહી વખતના એન્ટિક બે નંગ રેડિયો, હાર્મોનિયમ, બેન્જો, ફુલદાની, ચુસ્કી, જારી, ટ્રે, ફોટોફ્રેમ, પલંગ પાયા, સહિતની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ચોરી થયેલા માલસામાનની કિમત અંદાજે 40 લાખથી 60 લાખ જેટલી આંકવામાં આવી હતી. પોલીસે શંકા સેવી હતી કે આ મોટી ચોરીમાં રાજ મહેલમાં દરેક જગ્યાએ સીસીટીવી હોવા છતાં એકપણ સીસીટીવીમાં તસ્કરો નહીં દેખાયા જેથી કોઇ જાણભેદુ હોઇ શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત