Team Chabuk-Gujarat Desk: ગોંડલમાં ચોંકાવનારી ઘટના બની છે. વોરકોટડા રોડ પર રહેતા બે ભાઇઓએ સાંજે ન્યાઝમાં જમ્યા બાદ ઊલ્ટી થતા એકાએક મોત નિપજ્યું હતું. મૃતકના પિતા હિન્દુ હોવા છતાં ઇસ્લામ ધર્મ પ્રત્યે વધુ લગાવ ધરાવતા તેને શંકાના દાયરામાં રાખી ડીવાયએસપી સહિતના સ્ટાફે સઘન પૂછતાછ હાથ ધરી છે. બંને બાળકોની માતાએ હજુ 15 દિવસ પહેલા જ છૂટાછેડા લીધા હતા.
બંને બાળકોના રહસ્યના તાણાવાણા સર્જતી ઘટના અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે બંને બાળકોના મૃતદેહને રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમાં ઝેરી દવાના કારણે બંને ભાઈઓના મોત થયાની શંકાએ મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલમાં વોરકોટડા રોડ પર સબ જેલ પાસે સરકારી આવાસ ક્વાટરમાં રહેતા હરેશ રાજેશભાઈ મકવાણા (ઉ.વ.13) અને તેનો નાનો ભાઈ રોહિત રાજેશભાઈ મકવાણા (ઉ.વ.3) બંનેને ગઇ કાલે સાંજે ઉલ્ટી થયા બાદ ગોંડલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં હાલત ગંભીર જણાતા બંનેને તાત્કાલિક વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ટૂંકી સારવારમાં જ બંને ભાઈઓએ દમ તોડતા ગોંડલ સિટી પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
મૃતક બાળકોના માતા-પિતાએ 15 દિવસ પૂર્વે છૂટાછેડા લીધા હતા. ત્યારબાદથી બંને બાળકો પિતા સાથે રહેતા હતા. બંને બાળકોને પિતા વારંવાર દરગાહ ખાતે લઈ જતો હતો. ગઈકાલે પણ બંને બાળકો દરગાહમાં ન્યાજ પણ જમ્યા હતા. ગોંડલ પોલીસ દ્વારા બનાવ સંદર્ભે મૃતકોના પિતાનું નિવેદન નોંધી મૃતદેહને ફોરેન્સિક પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
