Team Chabuk-Gujarat Desk: આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગ સ્વરૂપે સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સૌ પ્રેરિત થાય અને ખાદી ખરીદી માટે પ્રોત્સાહિત થાય અને જરૂરિયાતમંદ લોકોને રોજગારી મળી રહે તેવા ઉમદા હેતુથી ખાદી ખરીદવા તથા પહેરવા માટેનું અભિયાન શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે બનાસકાંઠા જિલ્લામાં કાર્યરત શિક્ષકો અને મુખ્યશિક્ષકો દ્વારા ખાદી ભંડાર અને શાળા ખાતે ઉભા કરવામાં આવેલ સ્ટોલમાંથી સ્વૈચ્છિક રીતે ખાદી ખરીદી કરવામાં આવી હતી.

સામૂહિક ખાદી ખરીદી માટે લાખણી શાળા નં. ર ખાતે થરાદ, લાખણી અને વાવ તાલુકાના શિક્ષકો માટે તથા બી.આર.સી. ભવન ડીસા મુકામે તથા ડીસા તાલુકાના શિક્ષકો માટે ખાદીના સ્ટોલનું આયોજન તા. ૨૩ ઓક્ટોબર-૨૦૨૧ના રોજ કરવામાં આવ્યુ હતું. તા. ૨૪ ઓક્ટોબર-૨૦૨૧ના રોજ પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ અને દાંતીવાડા તાલુકાના શિક્ષકો માટે ખાદીના સ્ટોલનું આયોજન જામપુરા પ્રાથમિક શાળા, પાલનપુર ખાતે કરવામાં આવ્યું હતું.

જેમાં બહોળી સંખ્યામાં શિક્ષકો દ્વારા સ્વૈચ્છિક રીતે ખાદીની ખરીદી કરવામાં આવી હતી. તા. ૨૦ થી ૨૫ ઓકટોમ્બર-૨૧ સુધીના પાંચ દિવસના અભિયાનમાં સમગ્ર જિલ્લામાંથી શિક્ષકો દ્વારા અંદાજિત રૂ. ૫,૭૦,૦૦૦/- ની ખાદીની ખરીદી કરવામાં આવી હતી. તેમ બનાસકાંઠા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજયભાઇ પરમારે અખબારી યાદીમાં જણાવ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત