Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં વધુ એક બ્રિજનો વિવાદ સામે આવ્યો છે. તાજેતરમાં જ બનેલા અટલ બ્રિજ પર લગાવેલા એક કાચમાં તિરાડ પડી જતા અનેક સવાલો ઉઠ્યા છે.
આ કાચ પર એક સાથે મોટી સંખ્યા લોકો ઉભા રાખી શકે તેવી ક્ષમતા કહેતા હોવાનું જણાવવામાં આવ્યું હતું. બ્રિજ લોકાપર્ણ થયાના 7 મહિનામાં જ કાચ તૂટ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અટલ બ્રિજ ઉપરના આ કાચને કોર્ડન કર્યો છે.
મહત્વનું છે કે, અટલ બ્રિજ ઉપર ઉપર ટોટલ 8 ગ્લાસ લગાવાયા છે. સાત મહિના પહેલા જ આ બ્રિજનું લોકાર્પણ કરાયું હતું. અચાનક કાચમાં તિરાડ પડતા બ્રિજની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે. જો કાચ તૂટે તો સહેલાણીઓ સીધા નદીમાં ખાબકે અને મોટી દુર્ઘટના બની શકે.
અમદાવાદ: લોકોના આકર્ષણનું કેન્દ્ર બનેલા અટલ બ્રિજ પર કાચમાં પડી તિરાડ#Ahmedabad #Gujarat #BigNews #glass #atalbridge pic.twitter.com/0gm1xfs4gF
— thechabuk (@thechabuk) April 6, 2023
બ્રિજ પર લગાવેલા કાંચમાંથી સહેલાણીઓ નદીનું પાણી જોઈ શકે છે. આ પ્રકારના કાચ ફૂટ ઓવર બ્રિજ ઉપર લગાવાયા છે.સાબરમતી નદી અને રિવરફ્રન્ટના નયનરમ્ય નજારાના કારણે શહેરીજનો માટે પ્રથમ દિવસથી ફૂટ ઓવરબ્રિજ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ફૂટ ઓવરબ્રિજ 300 મીટર લાંબો અને 14 મીટર પહોળો છે. અટલ બ્રિજની હાલની ક્ષમતા અને મજબૂતાઈ મુજબ એક સાથે 12000 લોકો બ્રિજ ઉપર ઉભા રહી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત