Team Chabuk-Gujarat Desk: પોલીસ સ્ટેશનના પટાંગણમાં અસંખ્ય વાહનો ધૂળ ખાતા જોયા હશે. આ વાહનોનું પછી શું થતું હશે તેનો કૌતુકસભર વિચાર ન આવે તો જ નવાઈ. પણ જૂનાગઢમાં ડિટેઈન કરવામાં આવેલા વાહનોની હરરાજી થઈ રહી છે. જે વાહનો પોલીસે ડિટેઈન કરેલા હોય પણ તેને લેવા માટે કોઈ ન આવેલું હોય આવા વાહનોની હવે હરરાજી કરવામાં આવશે.
જૂનાગઢના ડિવાયએસપી પ્રદીપસિંહ જાડેજા સાહેબે જણાવ્યું હતું કે, ડિટેઈન કરેલા કે બિનવારસી એવા વાહનોનો ખડકલો થયો છે. પણ કોઈ છોડાવવા કે લેવા માટે આવતું નથી. જેથી આવા વાહનોનો પોલીસ સ્ટેશનમાં ભરાવો થયો છે.
એવામાં એસપી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આ વાહનોના નિકાલ માટેની ઝૂંબેશ હાથ ધરવાની સૂચના આપવામાં આવી હતી. વિસ્તાર પ્રમાણે જણાવીએ તો સી- ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે એંસી, જ્યારે ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે 33 વાહનો કબ્જે કરવામાં આવ્યો છે.
આ વાહનોએ તેમના માલિકની ખૂબ પ્રતીક્ષા કરી પણ માલિક તેમને છોડાવવા ન આવતા હવે તારીખ 9 ફેબ્રુઆરીના રોજ હરરાજી કરવામાં આવશે. હવે જો આ વાહન ખરીદીમાં આપને કે આપની નજીકના કોઈ વાહન ઈચ્છુકને ઈચ્છા હોય તો તેમણે સી ડિવીઝનના પીએસઆઈ જે.જે.ગઢવી અને પીએસઆઈ એમ.સી ચુડાસમા સાહેબનો સંપર્ક કરવાનો છે.
(તસવીર પ્રતિકાત્મક છે.)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત