Homeગુર્જર નગરીહળવદના નવા ધનાળા પાસે અકસ્માતમાં મુંબઈથી કચ્છ જઈ રહેલા પરિવારના ત્રણ લોકોના...

હળવદના નવા ધનાળા પાસે અકસ્માતમાં મુંબઈથી કચ્છ જઈ રહેલા પરિવારના ત્રણ લોકોના મોત

Team Chabuk-Gujarat Desk: આજે વહેલી સવારે મોરબીના હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટિયા પાસે ફોર્ચ્યુનર કાર પલટી જતાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. મુંબઈથી કચ્છ જઈ રહેલા પરિવાર સાથે આ કરુણાંતિકા સર્જાઈ છે. પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર અચાનક પલટી ખાઈને રસ્તાની નીચે ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકોમાંથી ત્રણ લોકોના મોત થયા છે જ્યારે અન્ય બે લોકોને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટિયા નજીક કચ્છ-અમદાવાદ હાઈવે પર આજે વહેલી સવારે મુંબઈથી કચ્છ જિલ્લાના રાપર તાલુકાના દેસલપર ગામે દાદાને મૂકવા જઈ રહેલા પટેલ પરિવારની કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો જેમાં કાર પલટી મારી જતા કારમાં સવાર ત્રણ લોકોના મોત નિપજ્યા છે તો કારમાં સવાર અન્ય બે લોકોને ઈજા પહોચતા તેને સારવાર માટે ૧૦૮ ટીમના ગણપત ઠાકોર અને હરેશભાઈ સહિતની ટીમે દોડી જઈ સારવાર માટે  હળવદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કારમાં સવાર ઋત્વિકભાઈ માતાભાઈ  પટેલ અને વસ્તાભાઈ નારણભાઈ પટેલને  ઈજા પહોંચતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.

તો ધટનામાં ત્રણ લોકોના મૃત્યુ નીપજ્યા હતા જેમાં સામુબેન વસ્તાભાઈ પટેલ, મોંધીબેન માતાભાઈ પટેલ અને રમેશભાઈ વસ્તાભાઈ પટેલના મોત થતાં તેઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો ધટનાની જાણ થતા બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ત્રણેય મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવાની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતના પગલે હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments